ગુજરાત

gujarat

ETV Bharat / sitara

‘બાબૂમોશાય બંદૂકબાજ’ના નિર્દેશક કુશન નંદીએ પણ કર્યો હતો સ્યૂસાઇડનો વિચાર - Sushant Sinh rajput

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાએ બોલીવુડને હચમચાવી દીધુ છે. અભિનેતાના મૃત્યુ પછી ફિલ્મ ‘બાબૂમોશાય બંદૂકબાજ'ના નિર્દેશક કુશન નંદીએ ટ્વીટ કર્યું હતું કે, તેમણે પણ ઘણીવાર સ્યૂસાઇડનો વિચાર કર્યો હતો, પણ હિંમત કરી શક્યા નહીં.

etv bharat
‘બાબૂમોશાય બંદૂકવાજ’ના નિર્દેશક કુશન નંદીએ પણ પોતાને મારવાનો વિચાર કર્યો હતો.

By

Published : Jun 16, 2020, 4:21 PM IST

મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પછી બોલીવુડથી જોડાયેલા કેટલાક લોકોએ સ્વીકાર કર્યુ છે કે ફિલ્મ ઇંડસ્ટ્રી ખૂબજ નિર્દયી છે અને હંમેશા લોકોને આત્મહત્યા જેવા પગલા લેવા પર પ્રેરિત કરે છે.

એમાંથી એક ‘બાબૂમોશાય બંદૂકબાજ’ના નિર્દેશક કુશાન નંદી છે. જેમણે સ્વીકાર કર્યો છે કે તેમણે કેટલીવાર તેમનુ જીવન ટૂંકાવવા વિશે વિચાર્યુ પણ તે એ કરવાની હિંમતના કરી શક્યા નહી.

રવિવારે અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા પછી નંદીએ આ વાતને સ્વીકાર કરી છે.

તેમણે ટિવટ કર્યુ કે, ‘હુ કહું કે મે કયારેય પોતાના જીવ લેવા વિશે નથી વિચાર્યુ તો એ જૂઠુ હશે, એવુ ઘણી વાર થયુ છે…બસ આવુ કરવાનું સાહસ કયારેય નથી કરી શક્યો, સાથે જ પોતાની પાછળ કેટલાક લોકોને છોડી જવાનો વિચાર પણ ડરાવે છે. પણ હા, હું આવુ કરવાના ખૂબજ નજીક આવી ચૂક્યો છું.’

તેમણે કહ્યું કે, મેડિટેશન, યોગથી મદદ મળી. પણ હું સમજુ છું કે મારી જેમ કેટલાક લોકો છે. જે આ પગલુ ભરવુ કે ના ભરવુ તેની વચ્ચેની એક નજીવી રેખા છે.

નંદીએ કહ્યું કે, થોડાક સમયથી તે ખૂબજ સારૂ મેહસૂસ કરી રહ્યા છે.

સુશાંતે રવિવારે તેના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસીમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો.છેલ્લા કેટલાક મહિનાઓથી તે ડિપ્રેસન સામે લડતો હતો અને સારવાર લઈ રહ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details