ગુજરાત

gujarat

ETV Bharat / sitara

નરગીસની પુણ્યતિથિએ પુત્ર સંજય દત્તે માં માટે લખી ભાવુક પોસ્ટ, વાંચો - Nargis death Anniversary

બૉલિવૂડના મહાન અભિનેત્રી નરગીસ દત્તની આજે પુણ્યતિથિ છે, ત્યારે તેમના પુત્ર અને બૉલિવૂડના સંંજુ બાબાએ માતા નરગીસ સાથે એક ફોટો શેર કરી ભાવુક પોસ્ટ લખી છે. જે વાંચીને તમારી આંખમાંથી પણ આંસુ આવી જશે.

Etv Bharat
Nargis

By

Published : May 3, 2020, 10:26 PM IST

મુંબઈઃ હિન્દી સિનેમાના મહાન એક્ટ્રેસ નરગીસ દત્ત પોતાના ફિલ્મી કેરિયરમાં એક થી એક હીટ ફિલ્મ આપી હતી. 5 વર્ષની ઉંમરમાં બાળ કલાકાર તરીકે તેમણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નરગીસ દત્તે 'શ્રી 420', 'મધર ઈન્ડિયા' , 'ચોરી ચોરી', 'આવારા' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ હતું.

1957માં આવેલી તેમની મધર ઈન્ડિયા ફિલ્મ બાદ તેમણે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યાા હતાં. 3 મે 1981માં 58 વર્ષે ખબર પડી કે નરગીસને કેન્સર છે, જેને કારણે તેમનું નિધન થયું હતું. આજે નરગીસ દત્તની 39મી ડેથ એનિવર્સરી છે. એવામાં તેમના પુત્ર સંજય દત્તે એક ભાવુક પોસ્ટ લખી માતા સાથેની તસવીર શેર કરી છે.

માતા નરગીસ સાથે ફોટો શેર કરતાં સંજય દત્તે લખ્યું કે, 'તમે અમને છોડીને ગયા એ વાતને આજે 39 વર્ષ થઈ ગયા, પરંતુ મને ખબર છે કે તમે આજે પણ મારી સાથે છો. કાશ.. તમે આજે અને દરરોજ મારી સાથે હોત. હું તમને દરરોજ યાદ કરુ છું અને તમને ખુબ જ પ્રેમ કરું છું માં'

નોંધનીય છે કે, નરગીસ દત્તનું 1981માં 3 મે ના રોજ કેન્સરને કારણે નિધન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details