મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલને ફિલ્મી કેરિયરમાં સફળતા મેળવી છે. ભારતમાં લોકપ્રિય ધારણાઓનું ખંડન કરે છે. એક લોકપ્રિય બોલિવૂડ પુરસ્કાર સમારોહની 2020 આવૃતિને પ્રોત્સાહન આપવા માટે તેમણે કહ્યું કે, જ્યારે કોઈ કલાકાર પુરસ્કાર જીતે છે, ત્યારે તેમને બધું જ સારું લાગે છે.
એમેઝોન ફિલ્મફેર એવોર્ડ 2020ની આગામી 65મી આવૃતિ માટે એક પ્રમોશનલ ઈવેન્ટમાં વિદ્યા બાલને કહ્યું કે, લોકો એવોર્ડ સમારોહમાં કેટલીક વાતો કરે છે, પરંતુ મને લાગે છે કે, જ્યારે તમારા હાથમાં પુરસ્કાર મળે છે ત્યારે બધું જ સારું લાગે છે. મને લાગે છે કે, દરેક ભારતીય અભિનેતા કે અભિનેત્રી ફિલ્મફેર પુરસ્કાર જીતવાનું એક સપનું હોય છે. આ મારું સપનું પણ હતુ. મેં ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો છે અને 1 વર્ષમાં મે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ક્રિટિક્સ એવોર્ડ જીત્યો છે.