ગુજરાત

gujarat

ETV Bharat / sitara

આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલે PM કેયર ફંડમાં દાન આપ્યું

કોરોના વાઈરસને પહોંચી વળવા તમામ લોકો યથાશક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યાં છે. અધિકારીઓ, ઉદ્યોગકારો, રમતવીરો અને બોલીવૂડ સ્ટાર્સ સહિત અનેક લોકો પીએમ કેયર ફંડમાં દાન કરી રહ્યાં છે. આ કડીમાં બૉલીવૂડ સ્ટાર્સ વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ પણ આગળ આવ્યાં છે. વિક્કી કૌશલે 1 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે.

By

Published : Mar 31, 2020, 5:45 PM IST

Alia BHatt
Alia BHatt

મુંબઈઃ બૉલિવુડ સ્ટાર વિક્કી કૌશલ અને ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પણ કોરોના વાઈરસ સામેની લડતમાં આગળ આવ્યાં છે. બંને સ્ટાર્સે પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપ્યો છે. વિક્કી કૌશલે 1 કરોડની સહાયતા કરી છે.

અભિનેતા વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડના દાનની માહિતી આપતાં લખ્યું છે કે, ' હાલ જ્યારે મને મારા ઘરના પ્રિય લોકો સાથે બેસવાનો સમય છે, અમુક લોકો પાસે એ પણ નથી. આ સંકટ સમયે હું પીએમ કેર્યસ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળને 1 કરોડ રૂપિયા આપવાની શપથ લઉ છું.

વધુમાં તેમણે લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં આપણે બધા સાથે છીએ અને આપણે ભેગા મળીને આ મુશ્કેલીનો સામનો કરી જીત મેળવીશું.

મુશ્કેલીના આ સમયમાં બૉલીવૂડની અનેક હસ્તીઓ પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટે પણ યોગદાન આપ્યું છે. જોકે આલિયા ભટ્ટે કેટલા પૈસા આપ્યા તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.

આલિયા ભટ્ટે ટ્વિટ કર્યુ છે કે, હું પીએમ કેર્યસ ફંડમાં અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવાની શપથ લઉં છું જેથી હું કઈંક મદદરૂપ બની શકુ.

ABOUT THE AUTHOR

...view details