મુંબઈ: લોકડાઉનમાં થોડી છૂટછાટ આપ્યા પછી તેમજ અનલોક-1માં મહારાષ્ટ્ર સરકારે ફિલ્મને લઈને આપેલી મંજૂરી પછી ફિલ્મ નિર્માતાઓએ શુટિંગ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ સેલિબ્રિટી હજુ પણ બહાર નીકળવા તેમજ સેટ પર કામ શરૂ કરવા અંગે મુંઝવણમાં છે.
ફિલ્મના શૂટિંગ માટે નિર્માતાઓ તૈયાર પરંતુ, સેલિબ્રિટી માટે સ્વાસ્થ્ય પ્રથમ 'સુપર 30' ની અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ તેમાની એક છે. તેના માટે, 'સ્વાસ્થ્ય પહેલા આવે છે'.
ફિલ્મના શૂટિંગ માટે નિર્માતાઓ તૈયાર પરંતુ, સેલિબ્રિટી માટે સ્વાસ્થ્ય પ્રથમ મૃણાલે IANSને કહ્યું કે, 'હું હજી તૈયાર નથી. મને લાગે છે કે, જો હું કોઈ શૂટિંગ માટે હા પાડીશ, તો હું ઘણા લોકોના આરોગ્યને જોખમમાં મૂકું છું. ખરેખર, હું આ નિર્ણય લેવામાં અસમર્થ છું. મુંબઈમાં ચોમાસું આવી ગયું છે, તેથી ખાસ કરીને ફ્લૂ જેવી બીમારીઓ ફેલાવાની શક્યતા વધારે છે. કામ ફરી શરૂ કરવાના મુદ્દે પણ મૃણાલે લોકોને જવાબદાર બનવાની વિનંતી કરી છે.
ફિલ્મના શૂટિંગ માટે નિર્માતાઓ તૈયાર પરંતુ, સેલિબ્રિટી માટે સ્વાસ્થ્ય પ્રથમ તેણે કહ્યું કે, ‘લોકોને ખરેખર ખૂબ જવાબદાર બનાવવાની જરૂર છે. કામ જરૂરી છે. પરંતુ જેઓ ફરીથી કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેઓએ પૂરતી કાળજી લેવી જોઈએ. આરોગ્ય પહેલા આવે છે. જો કોઈની તબિયત સારી નથી, તો તેણે કામ પર આવવાને બદલે ઘરે જ રહેવું જોઈએ. કામમાં વિલંબ એ એકમાત્ર વિકલ્પ નથી, તેથી યોગ્ય પગલાં લેવા જોઈએ.’
અભિનેતા તનુજ વિરવાની પણ આ માટે સંમત છે. તે કહે છે, 'હું સેટને ઘણો યાદ કરી રહ્યો છું પરંતુ, હું જે પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો, તે માટે ઘણા કલાકારો અને ક્રૂની જરૂર છે. મને લાગે છે કે, જે ફિલ્મ અને શો કે જેમાં સેટ પર ઓછા માણસો કામ કરતા હોય તે લોકો માટે હિતાવહ છે કે, તેઓ આગળ વધે. જેથી, ઘણા લોકોને આત્મવિશ્વાસ મળશે. અંગત રીતે મને નથી લાગતું કે, જુલાઈના અંત પહેલા અથવા ઓગસ્ટની શરૂઆત પહેલાં શૂટિંગ શરૂ થઈ શકશે.
અભિનેતા વરુણ શર્મા કહે છે, “હું કેમેરા સામે આવવા માટે ઉત્સુક છું, પરંતુ હું ત્યારે જ શૂટિંગ કરીશ જ્યારે, બધું સુરક્ષિત રહેશે અને ત્યાં સુરક્ષાના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોય.”
અભિનેત્રી હિના ખાન તાજેતરમાં જ એક આવનારા વેબ શોના ડબિંગ માટે ઘરની બહાર નીકળી હતી. તેણે ઈંસ્ટાગ્રામ પર પોતાનો અનુભવ શેર કરતાં લખ્યું કે, 'હું સેફ ફિલ નથી કરી રહી. લોકડાઉન પછી આ મારી પહેલી આઉટડોર પ્રવૃત્તિ છે. મારો વિશ્વાસ કરો મને કંઈ જ સલામત લાગતું નથી. આ એક કલાકારના જીવનની માત્ર એક ઝલક છે .. કામ શરૂ કરતાં પહેલાં, મેં મારી આસપાસની બધી વસ્તુઓને સેનેટાઇઝ કરી દીધી હતી.'
દેશની અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ અને ટીવીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. મરાઠી અભિનેત્રી મૃણમયી દેશપાંડેની ‘મનાચે શ્લોક’ એ પહેલી મરાઠી ફિલ્મ છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગ દરમિયાન તમામ સાવચેતી રાખવામાં આવી હતી. જેમ કે, સેનિટાઈઝેશન, માસ્ક અને ગ્લોઝ પહેર્યા હતા.