ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત કેસમાં સ્વામીનો આક્ષેપ, કહ્યું- 'અભિનેતાને ઝેર અપાયું'

મંગળવારે ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં આરોપ લગાવ્યો હતો કે, અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને ઝેર આપવામાં આવ્યું હતું અને તેનું ઓટોપ્સી ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું હતું, જેથી તેમના પેટમાં ઝેર પાચક પદાર્થોથી ઝેર ડિઝોલ્વ થઇ જાય.

By

Published : Aug 25, 2020, 2:15 PM IST

સુશાંત કેસ
સુશાંત કેસ

મુંબઇ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને તેમના મૃત્યુ પહેલા ઝેર આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ આરોપ મૂક્યો હતો કે, તેમનું ઓટોપ્સી પણ ઇરાદાપૂર્વક મોડું કરવામાં આવ્યું છે. જેથી પેટમાં પાચન પદાર્થો દ્વારા ઝેર ડિઝોલ્વ થઇ જાય.

સ્વામીએ મંગળવારે સવારે ટ્વીટ કર્યું કે, "હત્યારાઓની માનસિકતા અને તેમની પહોંચ ધીરે ધીરે સામે આવી રહી છે. ઓટોપ્સીને ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો હતો. જેથી અભિનેતાના પેટમાં રહેલું ઝેર પાચન પ્રવાહી દ્વારા વિઘટિત થાય છે અને તેની ઓળખ ન થઇ શકે "

સોમવારે સોશિયલ મીડિયા યૂઝર્સે માંગ કરી હતી કે, આ કેસની તપાસ કરી રહેલી CBIએ સુશાંતનું ઓટોપ્સી કરનારા કૂપર હોસ્પિટલના ડોક્ટરોની પૂછપરછ કરવી જોઈએ. સોમવારે સાંજે સ્વામીએ ટ્વીટ કર્યું હતું કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે કસ્ટડીમાં મોકલવી જોઈએ.

તેમણે કહ્યું કે, "જો રિયાએ આપેલા પુરાવા અને મહેશ ભટ્ટ સાથેની તેમની વાતચીતમાં વિરોધાભાસ છે, તો CBI પાસે તેમની ધરપકડ કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે." રિયા અને મહેશ ભટ્ટ વચ્ચે થયેલા વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details