ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈને પરિવાર થયો ભાવુક

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઈએ રિલીઝ થઈ છે. અભિનેતાનો પૂરો પરિવાર સાથે બેઠો હતો અને ફિલ્મ જોઈ હતી. આ સમય દરમિયાન બધા ભાવુક થઈ ગયા હતા અને તેઓ સુશાંતને ખૂબ જ યાદ કરી રહ્યાં હતાં.

By

Published : Jul 25, 2020, 10:28 PM IST

sushant-singh-family-watch-his-last-movie
સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈને પરિવાર થયો ભાવુક

સહરસા: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ લગભગ દોઢ મહિના પછી તેમની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા' રિલીઝ થઈ છે. જેને જોઇને સુશાંતનો પરિવાર ભાવુક થઈ ગયો હતો. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોટા ભાઈ ભાજપના ધારાસભ્ય નીરજકુમાર બબલુએ આખા પરિવાર સાથે ફિલ્મ જોઈ હતી. તેમણે લોકોને સુશાંતને શ્રદ્ધાંજલિ રૂપે ફિલ્મ જોવાની અપીલ કરી હતી.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પાંચ ભાઈઓમાંથી મોટા, છાતાપુરના ખાસ પિતરાઇ ભાઇ બીજેપી ધારાસભ્ય નીરજકુમાર બબલુ, તેમની પત્ની નૂતન સિંહ અને બંને પુત્રો સાથે સુશાંતની છેલ્લી ફિલ્મની મજા માણી હતી. ફિલ્મ જોયા પછી સુશાંતના મોટા ભાઈ નીરજ કુમાર બબલુએ કહ્યું કે, તે સુશાંતની છેલ્લી ફિલ્મ હતી.

વધુમાં તેમણે કહ્યું કે, દરેક ફિલ્મમાં સુશાંતે કોઈ સંદેશ આપવાનું કામ કર્યું છે. હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિ આ ફિલ્મ જુએ. જો કે, અમે ઇચ્છીએ છીએ કે આ ફિલ્મ મોટા પડદા પર રીલિઝ થાય. કોરોના સંકટને કારણે, તે ઓનલાઇન રિલીઝ થઈ છે. આ ફિલ્મને સુશાંતના ચાહકો તરફથી ઘણો પ્રેમ મળશે. જે લોકોને આ ફિલ્મ પસંદ છે તે તેને શ્રદ્ધાંજલિ આપશે.

ABOUT THE AUTHOR

...view details