મુંબઇ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી અને બધાને આઘાતમાં મૂકી દીધા છે. ફેંસ, બોલિવૂડ હસ્તીઓ, મિત્રો અને પરિવારજનોને કોઈને પણ અપેક્ષા ન હતી કે, આવા જિંદાદીલ અભિનેતા આટલું કઠોર પગલું ભરશે.
શરૂઆતના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, તે ડિપ્રેશનથી પીડાતા હતા, ત્યારબાદ બોલિવૂડમાં 'નેપોટિઝમ', 'લોબીંગ' અને 'સ્ટાર પાવરપ્લે' ને લઈને ઘણી ટીકા થઈ હતી. ઘણા સ્ટાર્સે આ વિશે પોતાના અનુભવો ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર શેર કર્યા, તેમાં અભિનેતા અભય દેઓલ પણ હતા.
અભિનેતાએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, ઇન્ડસ્ટ્રીમાં દરેકનો અનુભવ અલગ અલગ હોય છે. અભયે તેની 2011 ની હિટ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે તેને અને ફરહાન અખ્તરને એવોર્ડ શોમાં કો-સ્ટાર તરીકે અને ઋત્વિકને મુખ્ય અભિનેતા તરીકે નામાંકિત કરવામાં આવ્યા, જ્યારે ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની હતી.