આનંદ કુમારે ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પોતે પણ બ્રેન ટ્યુમર જેવી બીમારીનો સામનો કરી રહ્યાં છે. તો ટ્યુમરના કારણે ડાબા કાનની સાંભળવાની ક્ષમતા પણ 80 ટકા સુધી ઓછી થઇ ગઇ છે. તો હાલમાં તેની સારવાર મુંબઇની હિન્દુજા હૉસ્પિટલમાં ચાલી રહી છે. વર્ષ 2014માં મને મારા બ્રેઇન ટ્યુમરની જાણ થઇ ગઇ હતી. પહેલા મને સાંભળવામાં મને તકલીફ થવા લાગી હતી. તો આ અંગે હુ ડૉક્ટર પાસે ગયો ત્યારે મને આ બીમારી વિશેની માહિતી મળી.
આનંદે જણાવ્યું કે ," આ બીમારીને લઇને ડૉક્ટર્સના જણાવ્યા મુજબ આ બીમારી એકૉસ્ટિક ન્યૂરોમા છે, જેને તેઓ ઓપરેશન કરવા માટે સક્ષમ છે. તો આ આ સમસ્યા પણ માત્ર ઓપરેશનથી જ ખતમ કરી શકાય તેમ છે. પરંતુ આ એકૉસ્ટિક ન્યૂરોમાના ઓપરેશન કરવામાં જો થોડી પણ ભુલ થઇ તો મારુ મોઠુ વાકુ થઇ શકે છે, અથવા તો મારી હુ પલક પણ જપકાવી ન શકુ તેવી પરિસ્થિતી થઇ શકે તેમ હોવાથી હુ જેના ડરના કારણે હું ઓપરેશન પણ નથી કરાવી શકતો.
તો આ સાથે જ પોતાના અંદાજમાં આનંદ કુમારે જણાવ્યું કે " હાલમાં તો મને એક કાનથી સંભળાઇ રહ્યું છે, જ્યારે એ કાનથી પણ ઓછુ સંભળાવવા લાગશે, ત્યારે જોયુ જાશે, મારી પાસે હજારો બાળકોની દુવાઓ છે, જે મારી તાકાત છે"
આનંદે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સંઘર્ષ સિવાય સફળતાની કોઇ સિડી નથી. આ સાથે બાળકોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, સુપર 30ના બાળકો ઘણી મહેનત કરતા હોય છે. અને તેઓ પોતાની મહેનત દ્વારા સફળતાને સર કરે છે. હું તો માત્ર તેઓને માર્ગદર્શન પુરૂ પાડુ છુ"
તો આનંદ કુમારને ફિલ્મના વિષય પર પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી મળતી સુચનાઓ અનુસાર તો લોકો ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તમામ સિનેમાધરોમાં " હાઉસફુલ" છે. બાળકો, યુવકો, મહિલાઓ તથા આધેડ વયના સહિતના તમામ લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તો ઘણા દર્શકોતો ફિલ્મને જોઇને રોઇ પણ જતા હોય છે" આ સાથે જ આનંદ કુમારે તમામ અભિનેતાઓના અભિનયની પણ પ્રશંસા કરી હતી.