ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લતા મંગેશકરના સ્વાસ્થ્યમાં આવ્યો સુધાર,શ્વાસ લેવામાં થઈ હતી તકલીફ

મુંબઈઃ બોલીવૂડના દિગ્ગજ ગાયિકા અને ભારતરત્ન લતા મંગેશકરને સોમવારે સવારે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. લતાજીને શ્વાસ લેવામાં તકલીફ પડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહીતી મુજબ તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો છે.પરતું તે હાલ પણ હોસ્પિટલમાં દાખલ છે.

By

Published : Nov 11, 2019, 6:02 PM IST

Updated : Nov 12, 2019, 1:02 PM IST

trtr

લતા મંગેશકર ફિઝિશિયન અને ઈન્ટેન્સિવિસ્ટ તથા બ્રિચ કેન્ડી હોસ્પિટલના સિનિયર મેડિકલ એડવાઈઝર એવા ડૉ. ફારોખ ઈ. ઉદવાડિયાની સારવાર લઈ રહ્યાં હતાં. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લતાજીને હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લતા મંગેશકરને ન્યૂમોનિયા થયાં બાદ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જો કે, હવે તેમને તેમનાં ઘેર પરત ફરવાની પરવાનગી પણ આપી દેવામાં આવી છે.

Last Updated : Nov 12, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details