ગુજરાત

gujarat

સુશાંત આત્મહત્યા કેસ: શેખર કપૂરની પુછપરછ થશે, સંજનાની 7 કલાક પુછપરછ ચાલી

By

Published : Jul 1, 2020, 10:09 AM IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં હવે મુંબઇ પોલીસ ફિલ્મ નિર્માતા શેખર કપૂરની પૂછપરછ કરવાની છે. સ્વર્ગીય અભિનેતાના નિધન બાદ ફિલ્મ નિર્માતાનું ટ્વીટ વિશે બહુ ચર્ચા કરવામાં આવ્યું હતું. આ સાથે બાંદ્રા પોલીસે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની અભિનેત્રી સંજના સંઘીની લગભગ 7 કલાક પૂછપરછ કરી હતી.

Shekhar Kapur
સુશાંત સિંહ

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે શહેરની પોલીસ શેખર કપૂરની પણ પૂછપરછ કરશે. બાંદ્રા પોલીસે સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની અભિનેત્રી સંજના સંઘીની પણ પૂછપરછ કરી હતી.

શેખર કપૂર રેકોર્ડ કરેલું નિવેદન અભિનેતાને મદદ કરશે. શેખર કપૂર પોલીસ માટે બહુ મહત્વપૂર્ણ બની ગયા છે. કારણ કે, સુશાંત શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતા. જે યશરાજ ફિલ્મનો પ્રોજેક્ટ હતો. આ સિવાય સુશાંતના મોત બાદ કપૂરનું ટ્વીટ ઘણું ચર્ચામાં આવ્યું હતું. કપૂરે લખ્યું કે, 'જે દુ:ખમાંથી પસાર થઇ રહ્યો હતો, તે વિશે હું જાણતો હતો. કાશ તે મારી સાથે વાત કરી હોત. જે તારી સાથે થયું તે તેનું કર્મ છે. તારૂ નથી.'

આ પહેલાં પોલીસે યશરાજ ફિલ્મે સુશાંત સાથે કરેલા કરારની કોપી મંગાવી હતી. આ કોપીથી ખુલાસો થયો કે, પ્રોડક્શન હાઉસે અભિનેતા સાથે ત્રણ ફિલ્મોની ડીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details