ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કેટલાક વણઉકેલ્યા પ્રશ્નોના ઘા હમેશા રહેશેઃ સંજના સાંઘી

સંજના સાંઘીએ સુશાંતસિંહ રાજપૂતની યાદમાં ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આજે 14 જુલાઇએ સુશાંતના મૃત્યુને 30 દિવસ પૂરા થયાં છે. સંજના 'દિલ બેચારા' કો-સ્ટારની યાદમાં ભાવુક થઈ ગઈ હતી. તેણે સુશાંતને યાદ કરીને તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.

By

Published : Jul 14, 2020, 3:32 PM IST

sanjana sanghi post emotional note for sushant
કેટલાક વણઉકેલ્યા પ્રશ્નોના ઘા હમેશા રહેશેઃ સંજના સાંઘી

મુંબઇ: સંજના સાંઘીએ સુશાંતસિંહ રાજપૂતની યાદમાં ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. આજે 14 જુલાઇએ સુશાંતના મૃત્યુને 30 દિવસ પૂરા થયાં છે. સંજના 'દિલ બેચારા' કો-સ્ટારની યાદમાં ભાવુક થઈ ગઈ હતી. તેણે સુશાંતને યાદ કરીને તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે.અભિનેતાના મૃત્યુને આજે એક મહિનો વીતી ગયો છે. આવી સ્થિતિમાં તેમના પ્રિયજનો સોશ્યિલ મીડિયા દ્વારા પોસ્ટ્સ શેર કરીને તેમની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

કેટલાક વણઉકેલ્યા પ્રશ્નોના ઘા હમેશા રહેશેઃ સંજના સાંઘી

આ દરમિયાન સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની સહ-અભિનેતા સંજના સાંઘીએ પણ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર ભાવનાત્મક નોંધ લખી છે. જેમાં તેને સુશાંત અને તેના સપના યાદ આવ્યા. આ નોટમાં સંજનાએ એ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે 1 મહિના પછી પણ વિશ્વાસ નથી થતો કે સુશાંતે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેણે સુશાંતના કેટલાક સપનાનો પણ ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે, તે તેને પૂર્ણ કરવા માટે તમામ પ્રયત્નો કરશે.

સંજનાએ સુશાંતની સાથે વિતાવેલી ક્ષણો યાદ કરી હતી. કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નો વિશે લખ્યું છે કે,'સુશાંતે દુઃખની સાથે ફિલ્મના રૂપમાં એક ગિફ્ટ આપી છે, જે હજુ લોકોને જોવાની બાકી છે. કેટલાક વણઉકેલાયેલા પ્રશ્નોના ઘા હંમેશા રહેશે અને અવિશ્વાસ રહેશે જે વધશે. દેશના બાળકો માટેનું ભવિષ્ય અને તેમના શિક્ષણ માટે સુશાંતે જે સ્વપ્નો જોયા હતા તે પૂરા કરવાના પ્રયત્ન કરશે.'

સુશાંતના દેહાંતને આજે 1 મહિનો પૂરો થવા પર સંજના ઉપરાંત સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, મુકેશ છાબરા અને તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ પણ ભાવનાત્મક પોસ્ટ્સ શેર કરી છે.

ABOUT THE AUTHOR

...view details