ન્યૂઝ ડેસ્ક : દેશ હાલમાં કોરોના સામે લડાઇ લડી રહ્યો છે આ વચ્ચે દેશે બે સીતારા ગુમાવ્યા છે. જેમાં ગતરોજ ઇરાફાન ખાનના મૃત્યુ થયાના સમાચારથી દેશ હજુ બહાર આવ્યો નથી, ત્યાં ફરી વધુ એક સીતારાું ઋષિ કપુરનું નિધન થયુ છે. જેના પગલે દેશ સહિત સેલિબ્રિટીઓએ ટ્વીટ કરી અને શોક વ્યક્ત કર્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટ્વીટ કરી કહ્યું કે હિન્દી સિનેમાના કલાકાર અને વરિષ્ઠ અભિનેતા શ્રી ઋષિ કપુરના નિધનના સમાચાર મળતાની સાથે આંચકો લાગ્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી અને કહ્યુ કે ઋષિ કપુર પ્રતિભાના પાવરહાઉસ હતા. હું હંમેશા સોશિયલ મીડિયા પર તેની સાથે થયેલી વાતચીતને યાદ કરીશ.
ગૃહ પ્રધાન અમીત શાહે ટ્વીટ કરી અને કહ્યુ કે દિગ્ગજ અભિનેતા ઋષિ કપુરના નિધના સમાચાર મળતા દુ:ખ થયુ. જે ભારતીય સીનેમા માટે દુ:ખની બાબત છે.