મુંબઇ: બોલિવૂડે બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાન બે જ દિવસમાં ખોઈ દીધા છે. ત્યાં ફિલ્મ એન્ડ ટેલિવિઝન નિર્માતાઓ ગિલ્ડ ઓફ ઈન્ડિયાના સીઈઓ કુલમીત મક્કડને ગુમાવી દીધા છે.
નિર્માતા કુલમીત મક્કડના અવસાન પર કરણ જોહરે શોક વ્યક્ત કર્યો હતો. જોહરે ટ્વિટર પર લખ્યું કે, 'કુલમીત પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અમારા દરેક માટે અનોખો સ્તંભ હતાં, કુલમીતે ફિલ્મ ઉદ્યોગ અને તેના વિકાસ માટે કામ સતત કર્યું. તમે જલ્દીથી અમને છોડી ગયાં, અમે હંમેશા તમને યાદ કરીશું. ઓમ શાંતિ મારા મિત્ર...'