ચંદ્રયાન 2 ને લઇને PM મોદીએ કહ્યું કે, ચંદ્રમા મિશન ચંદ્રયાન 2માં થયેલી સમસ્યા પર નિરાશ થવાની જરૂર નથી. તેઓએ કહ્યું કે, 'નયા સવેરા હોગા' જેમાં આ બધા વચ્ચે સેંસર બોર્ડના ચીફ અને પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીએ એક કવિતા લખી છે. તેઓએ કવિતા દ્વારા બધા જ લોકોને ઈસરો સાથે ઉભા રહેવાની અપીલ પણ કરી છે.
ચંદ્રયાન 2 લેંડિગ: ઈસરો માટે પ્રસૂન જોશીએ લખી કવિતા - ઈસરો માટે પ્રસૂન જોશીએ લખી કવિતા
મુંબઈ: ઈસરો માટે ચંદ્રયાન 2ને લઈને સેંસર બોર્ડના ચીફ અને પ્રખ્યાત ગીતકાર પ્રસૂન જોશીએ એક કવિતા લખી છે. તેઓએ કવિતા દ્વારા બધા જ લોકોને ઈસરો સાથે ઉભા રહેવાની અપીલ કરી છે.

ઈસરો માટે પ્રસૂન જોશીએ લખી કવિતા
આ કવિતામાં તેઓએ ઈસરો અને PM મોદીને પણ ટેગ કર્યા છે. જણાવી દઈએ કે, આ પહેલા પ્રસૂન જોશી ભારતના મિશન ચંદ્રયાન 2 પર પણ કવિતા લખી ચૂક્યા છે. તેઓની તે કવિતાને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમજ તેઓની આ કવિતાને પણ એટલો જ પ્રતિસાદ મળી રહ્યો છે.