પટના: નીતીશ કુમારે સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન તમામ પક્ષોએ મળીને સરકાર પાસેથી સીબીઆઈ તપાસની માંગ કરી હતી. જો કે, મુંબઈ પોલીસની સાથે પટના પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. આ સાથે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી પણ કરવામાં આવશે.
સુશાંતસિંહ આત્મહત્યા કેસઃ બિહાર સરકારે CBI તપાસની કરી ભલામણ - Nitish Kumar recommends cbi investigation
બિહારના CM નીતિશ કુમારે સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. સોમવારે વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન તમામ પક્ષોએ મળીને સરકાર પાસેથી સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
mgMexl
આ સાથે જ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ માટે મુંબઇ ગયેલી પટના પોલીસે 3 લોકોની પૂછપરછ પણ કરી છે. આ દરેકના નિવેદન નોંધવામાં આવ્યાં છે. આ જ સમયે પટના વિસ્તારના આઈજી સંજયસિંહે સિટી એસપીને ક્વોરેન્ટાઇન કર્યા સામે કડક વાંધો ઉઠાવ્યો છે, જે પોલીસ તપાસમાં મદદ કરવા ગયા હતાં.