મુંબઇ: અભિનેતા નિકિતિન ધીર ટૂંક સમયમાં જ આવનારી વેબ સિરીઝ 'રક્તાંચ'માં નકારાત્મક પાત્રમાં જોવા મળશે અને તેમને આશા છે કે નવા વિલન અવતારમાં ચાહકો તેમની પ્રશંસા કરશે.
નિકિતિને શોમાં વસીમ ખાનની ભૂમિકા નિભાવી હતી, જેમાં ક્રાંતિ પ્રકાશ ઝાને વિજય સિંહની ભૂમિકામાં જોવા મળશે. નિકિતિને કહ્યું, "ઘાતકી, હિંસક અને સત્તાથી ભૂખ્યા- આ તે શબ્દો છે, જે હું મારા પાત્રનું વર્ણન કરવા માટે ઉપયોગ કરીશ. તેમની કહાનીમાં રસપ્રદ વાત એ છે કે, જ્યારે તેના અધિકારો પર ખતરો આવે છે, ત્યારે તે કેવી પ્રતિક્રિયા આપે છે.