ગુજરાત

gujarat

By

Published : Apr 15, 2020, 8:31 AM IST

ETV Bharat / sitara

શત્રુઘ્ન સિન્હાએ પુત્રી સોનાક્ષીનો કર્યો બચાવ, તો મુકેશ ખન્નાએ આપી પ્રતિક્રિયા

શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા બાદ મુકેશ ખન્નાએ તેમની પુત્રી સોનાક્ષી પર કરેલી ટિપ્પણી વિશે કહ્યું હતું કે 'તેમનો હેતુ અભિનેત્રીને બદનામ કરવાનો નથી'. પીઢ અભિનેતાએ સોનાક્ષીનું ઉદાહરણ આપ્યું અને લોકોને ભારતીય દંતકથાના મહત્વ વિશે જણાવ્યું હતું.

mukesh khanna
mukesh khanna

મુંબઈ: અભિનેતા મુકેશ ખન્નાએ સોનાક્ષી પર કરેલી ટીપ્પણી પર શત્રુઘ્ન સિન્હાએ પ્રતિક્રિયા આપી હતી. ત્યારબાદ મુકેશ ખન્નાએ સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે, સોનાક્ષી વિશેની તેમની ટિપ્પણી અભિનેત્રીને નીચી બતાવવા માટે નહોતી, તેનુ ફક્ત ઉદાહરણ તરીકે નામ આપ્યું હતું.

લૉકડાઉન દરમિયાન 'મહાભારત' અને 'રામાયણ' જેવી ક્લાસિક સિરીયલો ટીવી સ્ક્રીન પર પાછા ફરી છે. ખુશી વ્યક્ત કરતા, મુકેશે વાતચીત દરમિયાન સોનાક્ષી પર કટાક્ષ કર્યો હતી. અભિનેત્રીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, ત્રણ દાયકા પછી જૂનો શૉ આવા લોકો માટે જ પરત આવ્યો છે.

અગ્રણી પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં મુકેશે કહ્યું કે, 'લોકોએ મારી ટિપ્પણી પર વિવાદ ઉભો કર્યો છે. શત્રુજીની સામે તેની ખોટી રજૂઆત કરી છે. હું તેમને લાંબા સમયથી ઓળખું છું અને તેના માટે ખૂબ માન છે. મેં ફક્ત ઉદાહરણ તરીકે સોનાક્ષીનું નામ લીધું હતું. આનો અર્થ એ નથી કે હું તેમને અવમૂલ્યન કરવાનો અથવા તેમના પર સવાલ કરવાનો છું. મારે તેમને લક્ષ્ય બનાવવાનો ઇરાદો નહોતો. જો કે, મને આશ્ચર્ય છે કે, હાલની પેઢીને ઘણી વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું નથી.

નોંધનીય છે કે, 'કેબીસી' એપિસોડ બાદ સોનાક્ષી પર ટ્રોલિંગ ઘણી વધી ગઈ છે. 'કેબીસી 11' ના એક એપિસોડમાં, અભિનેત્રી સેલિબ્રિટી ગેસ્ટ શોમાં સામેલ થઈ હતી, જ્યાં તે 'રામાયણ'માં એક પ્રશ્ન ચૂકી ગઈ હતી. ત્યારબાદ, ઘણી વખત આ ઘટનાનો આશરો લઇને તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટ્રોલિંગ અને સોનાક્ષીને 'જય-વીરુ' જેવી લાગણી છે. છેલ્લા જ દિવસે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ખોટા સમાચારોની મદદથી અભિનેત્રીને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સોનાક્ષીના જવાબથી તે પણ ગભરાઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details