ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વિદ્યા બાલન સ્ટારર 'શેરની' (Shreni) આ તારીખે થઇ રહી છે OTT પર રિલીઝ - અભિનેત્રી વિદ્યા બાલનની આવનારી ફિલ્મ

બોલીવુડ (Bollywood) અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ " શેરની" (Shreni) એમેઝોન પ્રાઇમ (Amazon Prime) વીડિયો પર 18 જૂને રિલીઝ થશે. સ્ટ્રીમિંગ પ્લેટફોમે (Streaming Platform) બુધવારે આની જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન નેશનલ એવોર્ડ (National Award) વિજેતા ફિલ્મ નિર્માતા અમિત વી. મસુરકર દ્વારા કરવામાં આવ્યું છે.

વિદ્યા બાલન
વિદ્યા બાલન

By

Published : Jun 3, 2021, 7:33 AM IST

મુંબઇ: ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન (Vidya Balan)ની ફિલ્મ 'શેરની' (Shreni) 18 મી જૂને એમેઝોન પ્રાઇમ (Amazon Prime) વીડિયો પર રીલિઝ થવા જઈ રહી છે. સ્ટ્રીમિંગ પ્લેટફોમે (Streaming Platform) બુધવારે આની જાહેરાત કરવામાં આવી હતી.'ન્યૂટન' (Newton) થી પોતાની ઓળખ ઉભી કરનાર અમિત વી. મસુરકર (Amit V. Masurkar) દ્વારા દિગ્દર્શિત, આવનારી આ ફિલ્મનું નિર્માણ ટી-સિરીઝ (T-Series) અને અબુન્દંતીયા એન્ટરટેનમેન્ટ (Abundantia Entertainment) દ્વારા કરવામાં આવ્યું છે.

માનવ-પ્રાણીના સંઘર્ષ પર છે આ ફિલ્મ

એક પ્રેસ રિલીઝ અનુસાર, 'શેરની'માં, બાલન વિદ્યા નામના પ્રામાણિક વન અધિકારી તરીકે જોવા મળશે, જે પિતૃસત્તાક સમાજ(Patriarchal Society) દ્વારા નિયુક્ત સામાજિક અવરોધો અને માનવ-પ્રાણીઓ વચ્ચે સંધર્ષને દુર કરવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચો : પત્ની Nisha Rawal સાથે મારપીટની ઘટના બાદ Karan Mehra નો જામીન પર છૂટકારો

માનવજાત અને પ્રાણીઓ વચ્ચેના જટિલ મુદ્દાઓ

મસુરકરે આ ફિલ્મનું વર્ણન એક જટિલ સ્તરની વાર્તા તરીકે કર્યું છે, જેમાં માનવજાત અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષના જટિલ મુદ્દાઓ સામે રાખ્યા છે. આ સિવાય શરદ સક્સેના (Sarad Saxena), મુકુલ ચઢ્ઢા (Mukul Chaddha) , વિજય રાજ (Vijay Raj), ઇલા અરૂણ (Ila Arun), બ્રિજેન્દ્ર કાલા (Brijendra Kala) અને નીરજ કબી (Niraj Kabi) એ પણ આ ફિલ્મમાં અભિનય કર્યો છે. 'શેરની'નું ટ્રેલર આજે રિલીઝ થશે.

આ પણ વાંચો : માધુરી દિક્ષિતનો પૂત્ર થયો ગ્રેજ્યુએટ, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો

ફિલ્મ અંગે વિદ્યા બાલનનું નિવેદન

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બાલને કહ્યું કે, આ ફિલ્મમાં તેનું પાત્ર બહુ-પરિમાણીય મહિલાનું છે. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મ સંવેદનશીલ વિષય પર છે, જે ફક્ત માનવ-પ્રાણીની ક્રિયાપ્રતિક્રિયાના મુદ્દાઓને જ સ્પર્શે છે, પણ માનવોના વચ્ચે પણ આદર, પરસ્પર સમજણ અને સહ-અસ્તિત્વના વિષયો પણ છે.

ABOUT THE AUTHOR

...view details