ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે

લતા મંગેશકરના નિધનથી (Lata mangeshkar Passed Away) દેશ હજું આઘાતમાં છે, ત્યારે લતાજીના દુનિયામાં લાખો-કરોડો ફેન છે, પરંતુ આ બધાથી ઉપર એક સોથી મોટો યુપીનો (Lata Mangeshkar Big Fan Gaurav Sharma) ફેન પુરવાર થયો છે, તેણે લાકોને અચંબિત કરી દીધા છે. જાણો કેવી રીતે?

By

Published : Feb 8, 2022, 10:11 AM IST

Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે
Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે

મેરઠઃલતા મંગેશકરના નિધનથી (Lata mangeshkar Passed Away) દેશ હજું આઘાતમાં છે લતા મંગેશકરના વિશ્વભરમાં કરોડો ફેન છે, પરંતુ યૂપીના ફેન ગૌરવ શર્માની (Lata Mangeshkar Big Fan Gaurav Sharma) દિવાનગી તો એકદમ નિરાલી છે. તેણે લતા મંગેશકર પર લખાયેલા તમામ પુસ્તકોને પ્રેમથી સંજોકર રાખ્યા છે. આટલું સિમીત નથી.. આ સાથે ઘણું બધું છે. વાંચો અહેવાલ...

ગૌરવ શર્મા લતાજીનો મોટો ફેન

ગૌરવ શર્મા લતાજીનો એટલો મોટો ફેન છે કે તેની પાસે લતાજી પર લખાયેલા દરેક પુસ્તક (Lata Mangeshkar Biography Books) છે. ઉપરાંત પાકિસ્તાની અને ઓસ્ટ્રલિયન લેખકો દ્વારા લખાયેલા પુસ્તકોનો પણ તેને સંગ્રહ કર્યા છે તેમજ લતાજીના તમામ ગીતોનો પણ તેને સાચવ્યા છે. આ સાથે તેમણે ઘણી શાળાઓમાં છ 'લતા વાટિકા'ની પણ સ્થાપના કરી છે, જ્યાં તેમણે મહાન ગાયકના સન્માનમાં હજારો વૃક્ષો વાવ્યા છે. શર્મા 39 વર્ષના છે. તે કહે છે કે, તેણે તેનું આખું જીવન લતાજીની કળા અને હસ્તકલાની પૂજા" માટે સમર્પિત કર્યું છે, લગ્ન પણ કર્યા નથી.

જાણો કઇ રીતે બન્યો ગૌરવ લતાજીનો મોટો ફેન

જણાવીએ કે, શર્માનું ઘર લતાજીનું 'મંદિર' છે જેને તે હવે મ્યુઝિયમમાં બદલવા માંગે છે. તેના ઘરના ડ્રોઇંગ રૂમની દિવાલ પર લતાજીનો એક મોટો ફોટો લગાવેલો છે. આ સિવાય પૂરો રૂમ લતાજીની તસવીરોથી સજાવી દીધો છે. શર્માનો ક્બાટ પણ લતાજીના સમાચારોથી ભરેલો છે.

Lata mangeshkar Passed Away: લતાજીના એક ફેને કર્યું કઇક આવુ...તેના બીજા ફેનને મુકી દીધા પાછળ, જાણો કંઇ રીતે

આ પણ વાંચો:Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત

લતાજી હમેંશા અમર રહેશે: ગૌરવ શર્મા

વર્ષોથી, શર્માના પડોશીઓ લતા મંગેશકર દ્વારા ગાયેલા ગીતોને (Lata Mangeshkar Songs) સાંભળી જાગી રહ્યા છે. શર્માએ કહ્યું કે, હું વડાપ્રધાનને અપીલ કરું છું કે, મારા તમામ સંગ્રહને તેમના સન્માનમાં એક મ્યુઝિયમમાં લઈ જાઓ. ઉપરાંત તે કહે છે કે, મારા માટે લતાજી હમેંશા અમર રહેશે, તે એક સિતારો છે. જે રાત્રે આકાશમાં હંમેશા ચમકતો રહેશે, હું દુખી કે ખુશ નથી, તેનું જીવન સંઘર્ષથી ભરેલું હતું.

ગૌરવ 6 વર્ષનો હતો ત્યારે પહેલીવાર સાંભળ્યું હતું લતાજીનું ગીત

શર્માએ કહ્યું કે, 1988માં તે માત્ર છ વર્ષનો હતો, જ્યારે તેણે પહેલીવાર લતાજીએ ગાયેલું ગીત સાંભળ્યું હતું. જે 1955માં આવેલી ફિલ્મ આઝાદનું 'રાધા ના બોલે' ગીત હતું. શર્માએ કહ્યું કે, મારી દાદી ઘણી વાર આ ધૂન ગુનગુનાતી રહેતી હતી. તેમણે મને લતાજીના સંઘર્ષ વિશે જણાવ્યું, અને તેમની એક તસવીર આપી અને તેમણે કહ્યું કે જો શોધ કરવી જ હોય આમના વિશે કરો.

આ પણ વાંચો:Lata Mangeshkar Passed Away: શાહરૂખ ખાન પર વરસ્યો ટીકાઓનો વરસાદ, જાણો કેમ?

ABOUT THE AUTHOR

...view details