- સલમાન ખાન પરનો ગેરકાયદેસર હથિયાર રાખવાનો અને કાળિયાર કેસ
- સલમાન ખાન માટે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ
- ફરિયાદીએ CJM ગ્રામીણ કોર્ટમાં બે અરજીઓ રજૂ કરી
જોધપુરઃફિલ્મ અભિનેતા સલમાન ખાન માટે ગુરુવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, જોધપુરથી સલમાન ખાન વિરુદ્ધ CRPCની કલમ 340 હેઠળ દાખલ કરેલી બે અપીલ પર આદેશો આપવામાં આવશે. 9 ફેબ્રુઆરીના રોજ, જિલ્લા અને સેશન્સ કોર્ટે બન્ને પક્ષની ચર્ચા પૂર્ણ થયા બાદ આ હુકમની તારીખ નક્કી કરી હતી. ફરિયાદીએ CJM ગ્રામીણ કોર્ટમાં બે અરજીઓ રજૂ કરી હતી. જેમાં સલમાન ખાન પર ગેરકાયદે હથિયારો અને કાળિયારના શિકાર કેસમાં સુનાવણી દરમિયાન ખોટા સોગંદનામા રજૂ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તત્કાલીન CJM જોધપુર ગ્રામીણ અંકિત રમનને 17 જૂન 2019ના રોજ બરતરફ કરતા સલમાનને રાહત મળી હતી. જેની સામે ફરિચાદી દ્વારા બન્ને કેસોમાં જિલ્લા અને સેશન્સ જજ જોધપુર જિલ્લા રાઘવેન્દ્ર કાછવાલની કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.