ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રણબીર કપૂર અને પરિણીતી ચોપડા 'એનિમલ'માં સાથે જોવા મળશે - પરિણીતી ચોપડા

રણબીર કપૂર અને પરિણીતી ચોપડા સંદીપ રેડ્ડી વાંગાના આગામી ગેંગસ્ટર ડ્રામામાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ 2022ના દશેરા પર તેને રિલીઝ કરવાનું જાહેર કર્યું છે. પરંતુ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તે વિશે કંઇ કહેવામાં આવ્યું નથી.

રણબીર કપૂર
રણબીર કપૂર

By

Published : Mar 27, 2021, 1:37 PM IST

  • લવ રંજન સાથેની આર.કે. બેનરની એનિમલ ફિલ્મની કરાઈ ઘોષણા
  • પાત્રની પ્રકૃતિ પ્રાણી જેવી બને છે માટે તેનું શિર્ષક 'એનિમલ'
  • રણબીરનો વોઇસઓવર ફિલ્મના વિષયની ઝલક આપે છે

મુંબઈ: બોલિવૂડ સ્ટાર રણબીર કપૂરે નવા વર્ષની શરૂઆત તેની આગામી ફિલ્મ એનિમલની ઘોષણા સાથે કરી છે. પરિણીતી ચોપડા, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ તેમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ એક ક્રાઈમ ડ્રામા છે.

રણબીર સાથે બે ફિલ્મોનું નિર્માણ ચાલી રહ્યું છે

કબીરસિંહના નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત એનિમલ વિશે ભૂષણ કુમારે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તે રણબીર સાથે એક નહીં પરંતુ બે ફિલ્મોનું નિર્માણ કરી રહ્યો છે. ટી-સીરીઝના હેડ હોંચો તેમજ લવ રંજન સાથેની આર.કે. બેનરની એનિમલ ફિલ્મનું સમર્થન કરશે. ભૂષણ કુમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લવ રંજન સાથે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બાકીની ફિલ્મનું શૂટિંગ જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ અમે રણબીર કપૂર અને કબીરસિંહને દિગ્દર્શિત સંદીપ વાંગા સાથે એનિમલનું શૂટિંગ કરીશું. જે અમે ઓક્ટોબર સુધીમાં શરૂ કરીશું.

આ પણ વાંચો:શું સારા અલી ખાન અને રણબીર કપૂર એકસાથે કામ કરશે?

'એનિમલ'થી થશે સંદીપની ડિરેક્ટર તરીકેની વાપસી

આ ફિલ્મ 2017માં આવેલી તેલુગુ બ્લોકબસ્ટર અર્જુન રેડ્ડી અને તેના એટલા જ લોકપ્રિય બોલિવૂડ રિમેક કબીરસિંહ પછી સંદીપની ડિરેક્ટર તરીકેની વાપસીને દર્શાવે છે. એનિમલ એ એક ગેંગસ્ટર ડ્રામાં છે, જે પાત્ર દ્વારા વહેંચાયેલા સંબંધની હંમેશા બદલાતી પ્રકૃતિની આસપાસ ફરે છે. જ્યાં પાત્રની પ્રકૃતિ પ્રાણી જેવી બને છે. ફિલ્મમાં પરિણીતી રણબીરની પત્નીની ભૂમિકામાં છે જ્યારે અનિલ તેના પિતાનો રોલ કરી રહ્યો છે.

આ પણ વાંચો:સંજય દત્ત અને રણબીર કપૂરની 'શમશેરા'નું શૂટિંગ ટળ્યું

ફિલ્મના શીર્ષકની જાહેરાત કરાઈ

ફિલ્મના શીર્ષકની જાહેરાત હર્ષવર્ધન રામેશ્વરે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની ઝલક સાથે કરી હતી, જ્યારે રણબીરનો વોઇસઓવર ફિલ્મના વિષયની ઝલક આપે છે. ફિલ્મના સંવાદો લેખક સિદ્ધાર્થ-ગરીમા દ્વારા લખવામાં આવી રહ્યા છે, જે પણ કબીરસિંહ ટીમનો ભાગ હતા.

ABOUT THE AUTHOR

...view details