મુંબઇ: અભિનેત્રી-રાજકારણી હેમા માલિની અને કવિ-ગીતકાર જાવેદ અખ્તરે આ સપ્તાહની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક તબીબી ટીમ પર થયેલા હુમલો અને એમ્બ્યુલન્સ ઉપર પથ્થરમારોની નિંદા કરી છે.
ઘૃણાસ્પદ ગણાવતાં હેમા માલિનીએ શનિવારે ટ્વીટ કર્યું કે, 'મિત્રો, મને ખાતરી છે કે તમે અમારા બહાદૂર કોરોના લડવૈયાઓને કેવી રીતે પથ્થરમારો અને હુમલો કર્યો છે. તે વાંચ્યું હશે અથવા જોયું હશે, જેના કારણે તેઓ ઘાયલ થયા છે. ડોક્ટર, નર્સ, પોલીસ કર્મચારીને કોઈ બક્ષતું નથી! ખૂબ જ ઘોર! આ લોકો આપણા માટે કેટલું બલિદાન આપી રહ્યા છે, તેમની સાથે આદર સાથે વર્તો.