મુંબઇ : તેલુગુ, તમિલ, કન્નડ, અને પંજાબી, અને હિન્દી ફિલ્મો દ્વારા પોતાનું પોતાનું સ્થાન બનાવનાર અભિનેતા સોનુ સૂદ આજે પોતાનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મોમાં અભિનેતાની તેના નેગેટીવ પાત્ર માટે ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીમાં સોનુએ પ્રવાસી શ્રમિકો માટે વિલન નહી, પરંતુ હીરોની ભૂમિકા નિભાવી છે.
આ દિવસોમાં લોકોના દિલમાં રાઝ કરનાર સોનુ સૂદના પરિવારને એક્ટિંગથી કશું લેવા દેવા નહોતું. આ ઇન્ડસ્ટ્રીનાં તેણે પોતાની મહેનત અને લગનથી પોતાની ખાસ ઓળખ બનાવી છે.
સોનુ માટે તમિલ સિનેમા હંમેશાથી ખાસ રહ્યું છે. કારણ કે, તેણે તમિલ ફિલ્મ 'કાલજઘર'થી ફિલમ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તેણે નેગેટીવ પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ 'શહીદ એ આજમ' થી સોનુ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો. આ ફિલ્મમાં અભિનેતાએ ભગત સિંહનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ દેખાડી શકી નહી પણ સોનુની એક્ટિંગના બહુ વખાણ કરવામાં આવ્યા હતા.
બાદમાં આશુતોષ ગોવારિકરની 2008માં ફિલ્મ 'જોધા અકબર' આવી. જેમાં તેણે જોઘાના ભાઇ સુજામલની ભૂમિકા નિભાવી હતી. આ પાત્ર માટે સોનુ ફિલ્મફેયર સપોર્ટિંગ અભિનેતા માટે નોમિનેટ થયો હતો. તેણે ફિલ્મ દબંગથી પોતાની લોકપ્રિયતા મેળવી હતી. દબંગમાં છેદી સિંહના પાાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. આ પાત્ર માટે સોનુને બેસ્ટ અભિનેતાનો અપ્સરા એવૉર્ડ આપવામાં આવ્યો હતો.
સોનુએ અનીસ બજ્મીની ફિલ્મ 'સિંહ ઇઝ કિંગ' માં લખન સિંહની ભૂમિકા કરીને લોકોનું દિલ જીતી લીધું હતું. તેણે તેલુગુ બ્લોકબસ્ટર ફિલ્મ 'અરુંધતિ' માં ખૂબ મોટી છાપ ઉભી કરી.