ગુજરાત

gujarat

ETV Bharat / sitara

PM મોદીએ કરેલી 20 લાખ કરોડના પેકેજની જાહેરાત પર ફિલ્મી સિતારાઓ થયા નારાજ - લોકડાઉન પેકેજ પર ફિલ્મી સેલેબ્સ

PM નરેન્દ્ર મોદીએ ગત્ત રોજ રાષ્ટ્રના નામ એક સંદેશામાં લોકડાઉનને લઇને 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી હતી. તેના પર ફિલ્મી સ્ટાર્સ નારાજ થઇને ટ્વીટ કરી રહ્યા છે અને પ્રવાસી શ્રમિકોનો મુદ્દો ઉઠાવ્યો છે.

Etv Bharat, Gujarati News, Covid 19, celebs on 20laccr pkg
celebs on 20laccr pkg

By

Published : May 13, 2020, 12:44 PM IST

મુંબઇઃ 12 મે, વડા પ્રધાન મોદીએ રાત્રે 8 કલાકે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 20 લાખ કરોડના લોકડાઉનના પેકેજની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે લોકડાઉન 4.0નો પણ સંકેત આપ્યો હતો.

PM મોદીના સંબોધન પર બૉલિવૂડ સેલેબ્સના પણ રિએક્શન આવી રહ્યા છે. જેમાંથી અમુક ફિલ્મી હસ્તીઓએ લોકડાઉનની વચ્ચે સરકારની રીત અને પીએમ મોદીના પેકેજની ઘોષણા પર કટાક્ષ કર્યો છે.

મ્યૂઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ ટ્વીટક પર પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, હવે કોઇએ કહ્યું કે, 20 લાખ કરોડનું પ્રોત્સાહન પેકેજ આપવામાં આવશે. શું ગરીબની કોઇ જ કિંમત નથી?, પ્રવાસી મજૂરો વિશે ઓન લાઇન કોઇ વાતચીત મેં જોઇ નથી, શું તમે જોઇ?

વિશાલે વધુ એક ટ્વીટ કરીને લખ્યું કે, જે વ્યક્તિએ પોતાના પરિવાર સહિત પગપાળા શહેરથી ગામ તરફનું પલાયન કરવાનો વિચાર કર્યો છે, તેનાથી વધુ આત્મનિર્ભર કોણ છે?, હવે શું આ આત્મબળ છે કે મજબૂરી અને લાચારી?

અભિનેતા અને રાજનેતા પ્રકાશ રાજે પણ આ કાર્યક્રમ પર કટાક્ષ કરતા લખ્યું કે, 'આજે 8 વાગ્યે, ખાલી વાસણ વધુ અવાજ કરે છે...#જસ્ટઆસ્કિંગ'

પ્રકાશનું આ ટ્વીટ ખૂબ જ વાઇરલ પણ થઇ રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

'થપ્પડ' નિર્દેશક અનુભવ સિન્હાએ પણ એક દારૂની બોટલનો ફોટો ટ્વીટ પર પોસ્ટ કર્યો જેમાં, રાત્રે 8 કલાક લખેલું છે. તેમણે લખ્યું કે, આ શા માટે મોકલ્યું મને કોઇએ...

દક્ષિણ ભારતીય અભિનેત્રી ખુશ્બૂ સુંદરએ એક ટ્વીટમાં લખ્યું છે કે, 2014 2014 તમે 2014 માં વચન આપ્યું હતું તેમ નરેન્દ્ર મોદી તરફ જોતા, લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા મૂકવાની આનાથી વધુ સારી તક નહીં હોઈ શકે. શું તમે નથી માનતા કે તે સંકટ સમયે સૌથી મોટી મદદ થશે?

ABOUT THE AUTHOR

...view details