ગુજરાત

gujarat

By

Published : Feb 15, 2020, 12:58 PM IST

ETV Bharat / sitara

જામિયા આવીને લાગ્યું કે હું જીવંત છુંઃ અનુરાગ કશ્યપ

નવી દિલ્હીઃ દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયામાં CAA (નાગરિકતા સંશોધન કાયદો)ને લઇને વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, ત્યારે બોલિવૂડ ડિરેક્ટર અનુરાગ કશ્યપ શુક્રવારે જામિયા પહોંચ્યા હતા. ત્યા તેમણે કહ્યું કે, તમે એ સરકાર સામે ડીલ કરી રહ્યા છો, જે પોતાના જ સાથે અલગ ડીલ કરી રહી છે.

Anurag Kashyap
Anurag Kashyap

અનુરાગે વધુમાં કહ્યું કે, હું જામિયા પહેલી વખત આવ્યો છું. પહેલા એવું લાગી રહ્યું હતું કે આપણે મૃત થઈ ગયા છીએ, પરંતુ અહીં આવીને લાગ્યું કે, આપણે જીવીત છીએ. મારા માટે આ આંદોલન જામિયાથી શરૂ થયું. આ લડાઇ લાંબી છે. કાલે અથવા પરમદિવસે ચૂંટણીની સાથે આ લડાઇ ખતમ થશે.

વધુમાં અનુરાગે કહ્યું કે, જામિયાની હિંસામાં કોઇની ધરપકડ થઇ નથી. પોલીસે પોતાનું કામ કરવાની જરૂર છે. પોલીસે તપાસ કરવાની જરૂર છે કે, આ ઘટનામાં કોણ-કોણ સામેલ હતા.

ABOUT THE AUTHOR

...view details