મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah) છેલ્લા 13 વર્ષથી નાના પડદાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો 2008માં શરૂ થયો હતો, જ્યારે શોના તમામ પાત્રોને લોકોએ ખૂબ પસંદ કર્યાં છે, ત્યારે જેઠાલાલ અને દયાએ દર્શકોના દિલ અને દિમાગ પર એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દિશા વાકાણી (Disha Vakani Return to Tarak Mehta Show) લાંબા સમયથી શોમાંથી ગાયબ છે. આ સ્થિતિમાં દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દિશા વાકાણીએ (Disha Vakani Return to Tarak Mehta Show) દયાના પાત્ર વિશે એક નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:પંજાબની કૈટરીના કૈફે કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા ફેન્સએ કહ્યું... "બૉમ્બ ફોડ્યો સનાએ"
દયાબેને નિર્માતાઓ પાસે રાખી શરત
તાજેતરના અહેવાલો પ્રમાણે, દિશા વાકાણી, જે દયાબેનનું પાત્ર ભજવે છે, તે થોડા મહિનાના વિરામ પછી શોમાં પરત ફરવા માટે તૈયાર છે. આ અહેવાલોએ ફરી એકવાર ચાહકોને શો પ્રત્યે ઉત્સાહિત કર્યા છે. સૂત્રોનો દાવો છે કે, દયાબેને નિર્માતાઓ પાસેથી દરેક એપિસોડ માટે તગડી ફીની માંગણી કરી છે.