- અભિનેત્રી દિયા મિર્ઝાના 15 ફેબ્રુઆરી 2021 ના રોજ લગ્ન
- મુંબઇના બિઝનેસમેન સાથે ફરશે સાત ફેરા
- અગાઉ 2019માં થયા હતા છુટાછેડા
મુંબઇ : આ દિવસોમાં બોલીવૂડમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આગાઉ નેહા કક્કડ-રોહનપ્રીત, આદિત્ય નારાયણ-શ્વેતા અગ્રવાલ, વરૂણ ધવન-નતાશા દલાલ બાદ હવે બોલીવૂડમાં વધુ એક ઢોલ વાગવાના છે. બોલીવૂડ અભિનેત્રી દીયા મિર્ઝાને લઈને સમાચાર સામે આવ્યા છે, માહિતી મુજબ અભિનેત્રી દીયા મિર્ઝા 15 ફ્રેબુઆરીના રોજ લગ્નના બંધનમાં બંધાઇ જશે, બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કરવાની છે. અભિનેત્રી દીયા મિર્ઝા 15 ફેબ્રુઆરીએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે સાત ફેરા લેવાની છે. આ લગ્ન કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેવાના છે.
2019માં થયા હતા છુટાછેડા