- મહામારીની સ્થિતિને સંભાળી ન શકતા સરકારની ટીકા થઈ રહી
- અભિનેતા અનુપમ ખેરે સ્વીકાર્યું કે, લોકોનો ગુસ્સો ખોટો નથી
- સરકાર જો લોકો માટે કોઈ કામ ન આવે તો તે દુ:ખની વાત
હૈદરાબાદ :આખો દેશ કોરોનાની બીજી લહેર સામેે સંઘર્ષ કરી રહ્યો છે. સમયસર મેડિકલ સુવિધાઓ ન મળવાને કારણે દર્દીઓના મોત થઈ રહ્યા છે. મહામારીની સ્થિતિને સંભાળી ન શકતા સરકારની ટીકા થઈ રહી છે, લોકોમાં રોષ છે. તાજેતરમાં અભિનેતા અનુપમ ખેરે પણ સ્વીકાર્યું છે કે, લોકોનો ગુસ્સો ખોટો નથી. અભિનેતા ઘણીવાર સરકારની તરફેણમાં બોલે છે, અને આ પહેલીવાર છે જ્યારે તેમણે સરકારની ટીકા કરી છે.
લોકોના જીવન બચાવવા, સુવિધાઓ પૂરી પાડવાની અને બેડ તૈયાર કરવા જરૂરી
એક ટીવી ચેનલ પર એક ઇંટરવ્યૂ દરમિયાન કોરોનો સંકટ પર વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે, 'સરકારોએ આ વાતનું ધ્યાન લેવું જોઈએ તોે આ સમયે લોકોના જીવન બચાવવા, સુવિધાઓ પૂરી પાડવાની અને બેડ તૈયાર કરવો જરૂરી છે... કોઈપણ સરકાર હો... આ ગુસ્સો ખૂબ જ કાયદેસર છે. '
આ પણ વાંચો : સુશાંત સિંહના નિધન પર અનુપમ ખેરે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું, "સુશાંતે આવું કેમ કર્યું?"
સરકાર હજી પણ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શકે