કોચ્ચિ : કેરળમાં સિનેમાં શિયેટર્સ 31 માર્ચ સુધી બંધ રહેશે.સરકારે રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલા ખતરાને જોઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ વચ્ચે હવે કેરળમાં થિયેટરને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કોચ્ચિમાં અલગ-અલગ મલયાલમ થિયેટર સંગઠનોની બેઠકમાં લેવામાં આવ્યો છે. હવે 11 માર્ચથી લઈને 31 માર્ચ સુધી રાજ્યના તમામ થિયેટર બંધ રહેશે. આ સાથે રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને રાજ્યમાં સાતમાં ધોરણ સુધીની પરીક્ષાઓ 31 માર્ચ સુધી રદ્દ કરી છે.