મુંબઇ: બોલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં મુંબઈ પોલીસે ‘યશરાજ’ ફિલ્મને એક પત્ર પાઠવ્યો છે અને અભિનેતા સુશાંત સાથે કરાયેલા તમામ કોન્ટ્રાક અંગે માહિતી માગી છે.
બલિવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ઉંમર 34 વર્ષીની હતી. તેના બાંદ્રાના મકાનમાં આત્મહત્યા કરી હતી. જેના કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં છે. અધિકારીએ કહ્યું કે, "પોલીસ વ્યાવસાયિક દુશ્મનાવટ સહિતના અનેક કેસોની તપાસ કરી રહી છે."
અત્યાર સુધી બાંદ્રા પોલીસે 13 થી વધુ લોકોના નિવેદનો લીધા હતા. જેમાં રાજપૂતનો પરિવાર, નજીકના મિત્રો, તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા પણ સામેલ છે.