ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ટ્વીટર વૉરઃ ચેતન ભગતના ટ્વીટ પર ભડકી ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડા - ચેતન ભગત આત્મહત્યા વિધુ વિનોદ ચોપડા

લેખક ચેતન ભગતનો હાલમાં જ ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડા સાથે ટ્વીટર પર વાદ-વિવાદ થયો હતો. ચેતન ભગતે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'ની રીલિઝના સંદર્ભે કહ્યું કે, આ ફિલ્મનો રિવ્યુ કરતા સમયે ક્રિટિક્સને ખૂબ જ સતર્ક રહીને લખવાની જરૂર છે અને તેમણ ઓવર સ્માર્ટ બનવાની જરૂર નથી. જ્યારે અનુપમાએ તેના પર ચેતન ભગતને જવાબ આપ્યો કે, ચેતન બગડી ગયા છે અને તેમણે અનુપમાના પતિ વિધુ વિનોદ ચોપડા પર સુસાઇડ માટ ફોર્સ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

chetan bhagat on vidhu vinod chopra
chetan bhagat on vidhu vinod chopra

By

Published : Jul 22, 2020, 7:52 AM IST

મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી મનોરંજન જગતમાં એક અલગ જ લડાઇ શરુ છે. સુશાંતના નિધનને એક મહીનાથી વધુ સમય થયો છે, પરંતુ આજે પણ દરેક વ્યક્તિના મોઢે સુશાંત સિંહ રાજપૂતનું નામ છે. હાલમાં જ લેખક ચેતન ભગતે સુશાંતની આગામી ફિલ્મને લઇને એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટનો જવાબ જ્યારે વિધુ વિનોદ ચોપડાની પત્નીએ આપ્યો તો ચેતન બગડી ગયા છે અને કંઇક એવું બોલી ગયા કે, આ ટ્વીટ વાઇરલ થવા લાગ્યું.

ચેતન ભગતે લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ આ અઠવાડિયે રીલિઝ થવાની છે. હું બધા જ ઘમંડી અને ઓવર સ્માર્ટ ફિલ્મ ક્રિટિક્સને કહેવા ઇચ્છું છું કે, તે સમજદારી પૂર્વક લખે. ઓવરસ્માર્ટ થવાની જરુર નથી. નિષ્પક્ષ અને સમજદાર બને. પોતાની બેકાર રીતોનો ઉપયોગ ન કરે. તમે આમ પણ કેટલીય જીંદગીઓ ખરાબ કરી છે. હવે અમે લોકો જોઇ લઇશું.

આ ટ્વીટ બાદ કેટલાય ફિલ્મ ક્રિટિક સહિત ટ્વીટર યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. થોડા લોકોએ ચેતનની વાત પર સહમતિ દર્શાવી છે તો અમુક લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું છે.

આ ઉપરાંત ભારતીય ફિલ્મ ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાની પત્ની અને ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપડાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

અનુપમાએ ચેતન ભગતના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે, જેટલી વાર તમે વિચારો છો કે, વાતચીતનું સ્તર તેનાથી નીચે જતું નથી. એટલી વાર આવું કંઇક થાય છે.

ચેતન ભગત પણ અનુપમાના જવાબમાં શાંત રહ્યા નહીં, તે તેના પતિ વિધુ વિનોદ ચોપડાને વચ્ચે લાવ્યો અને કહ્યું- મેમ, જ્યારે તમારા પતિએ મને બધાની સામે ધમકી આપી હતી, બેશરમ થઇને આ બધા જ બેસ્ટ સ્ટોરી એવોર્ડને પોતાના નામે એકઠા કર્યા, મને મારી સ્ટોરીનો શ્રેય આપવાથી ઇન્કાર કર્યો હતો અને મને સુસાઇડ કરવા માટે મજબુર કર્યો હતો, તે સમયે તમે માત્ર તમાશો જોઇ રહ્યા હતા. ત્યારે તમારું જ્ઞાન ક્યાં હતું.

વધુમાં જણાવીએ તો ચેતન ભગતે પોતાના ટ્વીટમાં અનુપમાને જે સ્ટોરીમાં ક્રેડિટ ન મળવા પર ખરી-ખોટી સંભળાવી છે, તે સ્ટોરી 3 ઇડિયટ્સ ફિલ્મની હતી. આ ફિલ્મને લઇને ભગતનો દાવો છે કે, તેમની એક બુકની સ્ટોરીનો પ્લોટ હતો.

ABOUT THE AUTHOR

...view details