ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Surat Fire Tragedy: સુરત અગ્નિકાંડથી હલ્યું બોલિવૂડ, ટ્વીટ કરી વ્યક્ત કર્યો શોક

સુરતના સરથાણામાં એક કોંચિંગ સેન્ટરમાં આગ લાગવાને કારણે 20 બાળકોના મોત થયા હતા. જ્યારે કેટલાયે બાળકો તો ઘાયલ થયા છે. ત્યારે આ દયનિય ઘટનાને પગલે બોલિવૂડના અમિતાભ બચ્ચનથી લઈને ઉર્મિલા સુધીના કેટલાયે સિતારાઓએ સોશિયલ મીડિયા પર આ બાબતને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે.

By

Published : May 25, 2019, 5:04 PM IST

Updated : May 25, 2019, 5:54 PM IST

Surat Fire Tragedy

મુંબઈ: સુરતમાં થયેલી આગ દૂર્ધટનાએ લઈને લગભગ 20 થી વધુ બાળકોના ભોગ લીધા છે જે બાબતે બોલીવૂડને પણ હલાવીને રાખી દીધું હતુ. જેને લઈને બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વિટ કરતા કહ્યું કે, સુરતમાં આગની ભયાનક ઘટના...એક વિનાશકારી આગ અને તેમાં સપડાયેલા 14-17 વર્ષના બાળકો. બાળકો ભયંકર આગથી બચવા માટે નીચે કૂદી પડ્યા અને તેઓના મૃત્યું થયા.

અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

એક્ટ્રેસ અને કોંગ્રેસ નેતા ઉર્મિલા માતોંડકરે લખ્યું કે, સુરત અગ્નિકાંડમાં થયેલી ઘટના વિશે સાંભળીને ખુબ જ દુ:ખ થયું. મારી સંવેદનાઓ પીડિત પરીવાર સાથે છે. ઘાયલ લોકો જલ્દીથી ઠીક થઈ જાય.

ઉર્મિલા માતોંડકરે ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું

એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ લખ્યુ હતું કે, પીડિત પરીવારને મારી સંવેદનાઓ...તેમની આત્માને શાંતિ મળે. આ ખરેખર હલાવી દેનાર ઘટના છે તેમજ વાસ્તવમાં આપણી સુરક્ષા અને સુરક્ષા નિયમો તેમજ તેમની શરતોની વિશે સજાગ થવાની જરુર છે.

ભૂમિ પેડનેકરે પણ શોક વ્યક્ત કર્યો

સુરત અગ્નિકાંડને લઈને સિંગર તેમજ BJP નેતા બાબુલ સુપ્રિયોએ લખ્યું કે, સુરત અગ્નિકાંડ વિશે સાંભળીને દુ:ખ થયું. આ ઘટના હલાવી દેનાર છે. પીડિતના પરીવારજનોને મારી સંવેદના. ઘાયલ થયેલા બાળકો જલ્દીથી ઠીક થઈ જાય.

બાબુલ સુપ્રિયોએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું
Last Updated : May 25, 2019, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details