ગુજરાત

gujarat

PM મોદીને લોકડાઉનના નિર્ણય પર બૉલીવૂડ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

By

Published : Apr 14, 2020, 7:21 PM IST

કોરોનાના વધતાં કહેરને ધ્યાનમાં રાખી પીએમ મોદી 3 મે સુધી લોકડાઉન વધાર્યુ છે. વડાપ્રધાનના આ નિર્ણય પર બૉલીવૂડ સ્ટાર્સે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Bollywood celebrities
Bollywood celebrities

મુંબઈઃ કોરોના વાઈરસને લઈ 24 માર્ચથી દેશમાં 21નું લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જે લોકડાઉન આજે પુર્ણ થવાનું હતું. પરંતુ વધતાં સંક્રમણને લઈ વડાપ્રધાન મોદી દ્વારા લોક઼ડાઉનની અવધી વધારવામાંં આવી છે. પીએમ દ્વારા 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. પીએમની જાહેરાત પર બૉલીવૂડના સ્ટાર્સે પોતોની પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતની બહેન રંગોલીએ પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કર્યુ કે, 'મને ખુશી છે કે પીએમ મોદીએ લોકડાઉનની અવધી વધારી છે. તેમજ તેમના જે રાજ્યોમાં વાઈરસ વધુ ફેલાશે તે બંધ રહેશે અને જે રાજ્યો કોરોનાથી મુક્ત હશે ત્યાં થોડી છુટ આપવાના નિર્ણયનું સમર્થન કરું છું.'

પ્રસુન જોશીએ ટ્વિટ કરી કહ્યું કે, પીએમ મોદીના નેતૃત્વમાં એકજુથ રહેવાનો સમય.' આ સાથે તેમણે એ પણ કહ્યું કેે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનના સંકટમાં આત્મવિશ્વાસ અને દ્રઢતા સાથે નિર્ણય લઈ કલ્યાણ કરવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

અભિનેતા અર્જુન કપુરે પણ સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરી પીએમ મોદીના લોકડાઉનના નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેમજ વિવેક અગ્નિહોત્રી, સિંકદર, નીલ નિતિન મુકેશ, નિમરત કૌર અને રાજીવ ખંડેવાલા સહિત અનેક સ્ટાર્સે લોકડાઉનના નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details