ઔરંગાબાદ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ પછીથી જ દરેક લોકો આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. આ મામલે ભાજપના સાંસદ સુશીલ કુમાર સિંહે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર પણ લખ્યો છે. ભાજપના સાંસદે સુશાંત સિંહના મોત મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે.
તેમના પત્રમાં ભાજપના સાંસદે લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતની મોતનું સત્ય આખું દેશ જાણવા માંગે છે. તેમણે મહારાષ્ટ્ર પોલીસ પર અસહકારી વલણ અપનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવું જોઈએ. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્ર પોલીસ સહકાર આપવાને બદલે બિહાર પોલીસને હેરાન કરવામાં લાગી છે. જે ક્યાંયથી યોગ્ય નથી.
પરિવારના સભ્યોએ કોર્ટમાં અરજી કરી હતી