મુંબઈ: અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં તેમની કોરોનાથી મરવાની કામના કરતા તમામ ગુમનામ ટ્રોલર્સને નામ ઓપન લેટર લખ્યો છે. આ લેટરમાં બિગ બી જણાવે છે, " મિસ્ટર અનામ, તમે તો પોતાના પિતાનું નામ પણ નથી લખતા કેમ કે તમને એ ખ્યાલ જ નથી કે તમને કોણે પેદા કર્યા છે. બે વસ્તુ થઈ શકે છે. હું સાજો થઈ જઈશ અથવા મરી જઈશ. જો હું મરી જઈશ તો તમને મારા ઉપણ ટિપ્પણી કરવા નહીં મળે. અફસોસ.
"તમારા લેખન પર ધ્યાન એટલા માટે આપ્યું કેમ કે તમે અમિતાભ બચ્ચનને સ્વાઇપ કર્યું હતું... જો હું જીવતો રહ્યો તો તમારે ફક્ત હું જ નહી, પણ મારી સાથેના અન્ય 90 મિલિયનથી પણ વધુ લોકોનો સામનો કરવો પડશે.."