- બોલિવૂડ બાદ ભોજપુરી ફિલ્મોમાં પણ કોરોના સંક્રમણ વધ્યું
- ભોજપુરી અભિનેતા દિનેશલાલ યાદવ અને ટીમના 2 સભ્યો સંક્રમિત
- શૂટિંગ બંધ કરવામાં આવ્યું, અભિનેતા આઈસોલેશન વોર્ડમાં દાખલ
બાંદા: કોરોનાએ ભોજપુરી ફિલ્મ અભિનેતા દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆની ફિલ્મ 'સબકા બાપ, અંગૂઠા છાપ'નાં સેટ પર દસ્તક આપી છે. નિરહુઆ અને તેની ટીમના 2 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જેથી ફિલ્મનું શૂટિંગ થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું છે. નિરહુઆ અને તેની ટીમના સભ્યોની મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાં સારવાર શરૂ કરવામાં આવી છે.