ન્યૂઝ ડેસ્ક: દેશના પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામો (Assembly Election Result 2022) લોકો પ્રત્યક્ષ આવી ગયા છે. આ સાથે જ આ સંગ્રામનો અહી જ અંત આવી ગયો છે, ત્યારે પંજાબ સિવાય BJP અન્ય 4 રાજ્યોમાં સરકાર સ્થાપવા જઇ રહી છે. આ ચૂંટણી પહેલા ફેમસ અભિનેતા કમાલ આર ખાને કહ્યું (Kamal R Khan comment On BPJ) હતું કે, "જો ભાજપ હારશે નહીં તો તે ક્યારેય ભારત નહીં આવે".
યોગીજી આજે તમારો છેલ્લો દિવસ છે: કમાલ આર ખાન
આ સંજોગોમાં 10 માર્ચના ચૂંટણી પરિણામોની સવારે, તેમણે એક ટ્વિટ કર્યું હતું કે "યોગીજી આજે તમારો છેલ્લો દિવસ છે". હવે બીજેપી સમર્થકો કમાલ આર ખાને આ વાતોની યાદ અપાવીને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કમાલ આર ખાને 10 માર્ચે સવારે 6.39 વાગ્યે એક ટ્વિટમાં લખ્યું, 'શુભ સવાર યોગીજી. તે કેવી રીતે છે? આજે તમારો છેલ્લો દિવસ છે સાહેબ, વિચાર્યું તમને યાદ કરાવું.
કમાલ આર ખાને કર્યા આ પ્રકારના ટ્વિટ
KRKનું બીજુ ટ્વીટ 10 માર્ચે સવારે 9.11 વાગ્યે આવે છે. આ ટ્ટવિટમાં તેણે લખ્યું, "અભિનંદન @myogiadityanath જી @narendramodi જી અને @AmitShah ને UPમાં ફરી જીતવા બદલ. કમાલ આર ખાને 17 ફેબ્રુઆરી 2022ના રોજ એક ટ્વીટમાં લખ્યું, 'આજે હું પ્રતિજ્ઞા લઉં છું, કે જો યોગીજી @myogiadityanath 10 માર્ચ 2022ના રોજ હાર નહીં થાય તો હું ક્યારેય ભારત પાછો નહીં ફરું! જય બજરંગબલે!