ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અનુરાગ કશ્યપના નિષ્ફળ લગ્નજીવન અંગે યૂઝરે કર્યું ટ્વિટ, કશ્પય ભડક્યાં - anurag kashyap trolled

અનુરાગ કશ્યપે કંગના રનૌત સામે કેટલાક ટ્વિટ્સ કર્યા હતા. જે બાદ ફિલ્મ નિર્માતાને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં, એક ટ્રોલરે અનુરાગના નિષ્ફળ લગ્ન અંગે ટિપ્પણી કરી હતી. જે બાદ દિગ્દર્શકે તેને યોગ્ય જવાબ આપ્યો છે.

anurag-kashyap-perfect-reply-to-troll-who-comments-on-his-unsuccessful-marriage
અનુરાગ કશ્યપના નિષ્ફળ લગ્નજીવન અંગે યૂઝરે કર્યું ટ્વિટ, કશ્પય ભડક્યાં

By

Published : Jul 22, 2020, 4:06 PM IST

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ઘણાં પરસ્પર વિરોધાભાસ જોવા મળી રહ્યાં છે. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. આ ચર્ચામાં અભિનેત્રી કંગના રનૌતે પણ ઘણાં લોકોના નામ લઈને નિશાન બનાવ્યા છે.

જે બાદ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ટ્વિટર હેન્ડલ દ્વારા પોતાની વાત શેર કરી હતી અને ત્યારબાદ બંને કલાકારો વચ્ચે ટ્વિટર વૉર ચાલું થયું હતું. અનુરાગે જ્યારે પોતાનો મુદ્દો ઉઠાવ્યો તેના થોડા સમય પછી, એક યૂઝરે તેમના નિષ્ફળ લગ્ન વિશે દબાણપૂર્વક ટિપ્પણી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને અનુરાગે યોગ્ય જવાબ આપ્યો હતો.

અનુરાગ કશ્યપના ટ્વિટ્સ પર ટિપ્પણી કરતાં એક યુઝરે લખ્યું, 'પત્નીના સંભાળી શક્યા, જ્ઞાન આપવા આવી ગયા'.

અનુરાગ કશ્યપે જવાબ આપ્યો કે, 'મહિલાઓને સંભાળવી નથી પડતી, મહિલાઓ પોતાને સંભાળવા સક્ષમ હોય છે. તેઓ પોતાનું અને પરિવારનું ધ્યાન રાખી શકે છે. જ્યારે સેટ ના થયું તો જતી રહી. મારી પત્ની મારી ગુલામ નહતી, કે તેને બાંધીને રાખું. બાકી તમે તો ઠીક છો ને ?'

ABOUT THE AUTHOR

...view details