ગુજરાત

gujarat

By

Published : May 1, 2020, 1:01 AM IST

ETV Bharat / sitara

ઋષિના નિધન પર અનિલની ઇમોશનલ નોટ, વાંચો...

અભિનેતા ઋષિ કપૂરના નિધનથી અનિલ કપૂરને પણ મોટો ઝટકો લાગ્યો છે. અનિલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બાળપણની તસવીર શેર કરી છે, જેમાં ઋષિ, અનિલ અને બોની કપૂર પણ છે. અનિલે ભાવનાત્મક નોટ પણ લખી છે. તેણે કહ્યું કે, હવે તારા વગર સિનેમામાં પહેલા જેવું નહીં રહે.

anil
anil

મુંબઇ: બોલિવૂડના જાણીતા અભિનેતા ઋષિ કપૂરના નિધનના સમાચાર મળતાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

બધા તેમની યાદમાં અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. કપૂર પરિવાર સાથે અનિલ કપૂરના પરિવારનો ખૂબ ગાઢ સંબંધ છે. અનિલના પિતા સુરિન્દર કપૂર ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના દૂરના પિતરાઇ ભાઇ હતાં.

ઋષિના નિધનથી અનિલ કપૂરને પણ મોટો ઝટકો લાગ્યો છે. તેમણે ટ્વિટર પર ભાવનાત્મક નોટ લખીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી છે.

ABOUT THE AUTHOR

...view details