મુંબઈ : ટિકટોક સ્ટાર સિયા કક્કડની આત્મહત્યાના સમાચાર સામે આવતા જ તેના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે. તે ફક્ત 16 વર્ષની હતી. સિયાના પરિવારને માથે જાણે આભ તુટી પડ્યું છે. રિપોર્ટસ મુજબ તે ડિપ્રેશનમાં હતી.
ટીવી અભિનેતા જય ભાનુશાલીએ પણ તેના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે સોશીયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને તેમાં કહી રહ્યો છે કે આત્મહત્યા દરેક મુશ્કેલીનું સમાધાન નથી.
"મને સિયા કક્કડ વિશે જાણ થઈ. ભગવાન તેની આત્માને શાંતિ આપે. આ બધું શું થઈ રહ્યું છે? લોકો આ શું કરી રહ્યા છે? દરેકની જિંદગીમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. આ મહામારી ના સમયમાં કોઈ ખુશ નથી. પરંતુ જિંદગીનો અંત આણી દેવો એ સમસ્યાનું સમાધાન નથી.