ગુજરાત

gujarat

By

Published : Jul 24, 2020, 3:25 PM IST

ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા મામલો: કંગના બાદ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ CBI તપાસની માગ કરી

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ CBI તપાસની માગ કરી છે. તેમનું કહેવું છે કે સુશાંતના આકસ્મિક નિધન અંગે CBI તપાસ દ્વારા જ સત્ય બહાર આવી શકશે.

કંગના બાદ શત્રુઘ્ન સિંહાએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની CBI તપાસની કરી માગ
કંગના બાદ શત્રુઘ્ન સિંહાએ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની CBI તપાસની કરી માગ

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે વ્યાપક રીતે CBI તપાસની માગ થઇ રહી છે ત્યારે અભિનેતાના ચાહકો સિવાય અનેક બોલિવૂડ કલાકારો પણ આ કેસમાં CBI ની દખલની માંગણી કરી રહ્યા છે.

અભિનેત્રી કંગના રનૌત ના નેપોટિઝમ વિવાદને લઇને બોલિવૂડમાં ઘણી ધમાલ થઇ હતી જેમાં તેણે બોલિવૂડના અનેક મોટા માથા ગણાતા સેલિબ્રિટીઝ ને સુશાંતના નિધન અંગે જવાબદાર ઠેરવી સમગ્ર કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તેવી માગ કરી હતી.

કંગના બાદ હવે શત્રુઘ્ન સિંહાએ પણ નિવેદન આપ્યું છે કે સુશાંતનું આકસ્મિક નિધનની CBI તપાસ થવી જ જોઈએ જેથી સત્ય બહાર આવી શકે.

ઉલ્લેખનીય છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતનું મૃત્યુ ડિપ્રેશન ને પગલે ગળેફાંસો ખાઇ લેવાથી જ થયું છે તેવું પુરવાર થાય છે. તેમ છતાં મુંબઇ પોલીસ આ મામલે હજુ તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ તપાસમાં 40 લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details