ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોવિડ-19: અદનાન સામીએ મુખ્યમંત્રી રાહત ભંડોળને કર્યું સમર્થન, લોકોને યોગદાન આપવા કરી અપીલ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ સંકટ સામે લડવા માટે વડાપ્રધાન મોદીએ રાહત ભંડોળનું ગઠન કર્યું છે. જેમાં લોકો પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે, ત્યારે પ્રખ્યાત ગાયક અદનાન સામીએ પણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઠાકરે દ્વારા કરાયેલી મહત્વના પગલામાં જોડાવવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કોવિડ 19 સામે લડવા રાહત ભંડોળમાં યોગદાન આપવા પણ લોકોને અપીલ કરી હતી.

By

Published : Mar 30, 2020, 3:20 PM IST

Etv Bharat, Gujarati News, Adnan Sami, Covid 19
Adnan Sami extends support, urges people to contribute to COVID-19 relief efforts

મુંબઇ: પ્રખ્યાત સિંગર અદનાન સામીએ કોવિડ -19 સામે ચાલી રહેલી લડાઇમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનું સમર્થન અને યોગદાન આપવાની ઘોષણા કરી છે.

46 વર્ષીય મ્યુઝિસિયને આ વાતની જાણકારી પોતાના ટ્વીટ પર આપી હતી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સમયસર અને "મહત્વપૂર્ણ પગલા" ની પ્રશંસા કરી હતી.

તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, આપણે દરેકે પોત-પોતાની રીતે બને તેટલો ફાળો આપવો જોઇએ અને હું પણ આ મહામારી સામે લડી રહેલા ગરીબોની મદદ કરી રહ્યો છું.

આ સાથે જ તેણે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં લોકોને પોતાનું યોગદાન આપવા પણ અપીલ કરી હતી.

અન્ય સેલેબ્સ જેવા કે, અક્ષય કુમાર, કપિલ શર્મા, શિલ્પા શેટ્ટી, રાજકુમ્મર રાવ અને વરૂણ ધવને વાઇરસના પ્રકોપ સામે લડવા માટે ટેકો જાહેર કર્યો હતો.

આ યાદીમાં છેલ્લે કાર્તિક આર્યનનું નામ જોડાયું છે. જેમણે સોમવારે જાહેરાત કરી હતી કે, તેઓ પીએમ રાહત ફંડમાં 1 કરોડનો ફાળો આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details