ગુજરાત

gujarat

કોરોના સંક્રમણને કારણે અભિનેતા દિલીપ કુમારના બીજા ભાઈનું પણ અવસાન થયું

By

Published : Sep 3, 2020, 3:52 PM IST

અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ એહસાન ખાનનું કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે. આ પહેલા તેના બીજા ભાઈ અસલમ ખાનનું પણ 21 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. બંને ભાઈઓના નિધન કોરોના સંક્રમણને કારણે થયા છે.

Dilip Kumar
Dilip Kumar

મુંબઈ: અભિનેતા દિલીપકુમારના નાના ભાઈ એહસાન ખાનનું 90 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગત મહિને જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. અભિનેતાના પારિવારિક મિત્ર ફૈઝલ ફારૂકીએ આ માહિતી આપી હતી.

દિલીપ કુમારના બન્ને ભાઈ એહસાન ખાન અને અસલમ ખાનને શ્વાસ લેવામાં તકલીફ થવાના કારણે 15 ઓગસ્ટના રોજ લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 21 ઓગસ્ટના રોજ કોરોનાની સારવાર દરમિયાન અસલમ ખાનનું 88 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

બંને ભાઈઓની સારવાર કરી રહેલા ડો. જલીલ પારકરે જણાવ્યું હતું કે, એહસાન ખાનનું બુધવારે મોડી રાત્રે કોરોના વાયરસના કારણે નિધન થયું હતું. ફારુકીએ દિલીપ કુમારના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી આ સમાચારની પુષ્ટિ કરી છે.

તેમણે ટ્વિટ કર્યું હતું કે "દિલીપ સાહેબના નાના ભાઈ એહસાન ખાનનું થોડા કલાકો પહેલા અવસાન થયું હતું. અગાઉ અસલમનું પણ કોરોનાને કારણે મોત થયું હતું. અમે ભગવાનના બંદાઓ છીએ અને પાછા તેમની પાસે જઇએ છીએ. તેમના માટે પ્રાર્થના."

માર્ચ મહિનામાં દિલીપ કુમારે પોતાના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી શેર કરતા કહ્યું હતું કે તેઓ અને તેમની પત્ની સાયરા બાનુ કોરોના વાયરસના પગલે બધાથી દૂર એકલા રહે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં બુધવાર સુધીમાં કોરોના વાયરસના કુલ કેસ 8,25,739 નોંધાયા હતા અને 25,195 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details