ગુજરાત

gujarat

By

Published : May 19, 2021, 10:50 PM IST

ETV Bharat / science-and-technology

ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની 2,36,966 મોટરસાયકલો પાછી ખેંચી

રોયલ એનફિલ્ડ કંપની દ્વારા સ્વેચ્છાએ 'ક્લાસિક, બુલેટ અને મીટિઅર' મોડલ્સની 2,36,966 મોટરસાયકલોને તેમના ઇગ્નીશન કોઇલમાં ખામી હોવાને કારણે પાછી ખેંચવામાં આવી છે. આ રિકોલ એક્શન ભારત સહિત સાત દેશોમાં લાગુ થશે.

ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની 2,36,966 મોટરસાયકલો પાછી ખેંચી
ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની 2,36,966 મોટરસાયકલો પાછી ખેંચી

  • ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની મોટરસાયકલો પાછી ખેંચી
  • 2,36,966 મોટરસાયકલોના ઇગ્નીશન કોઇલમાં ખામી રહી જતા લીધો નિર્ણય
  • ખામીને કારણે નુકસાન સર્જાવાની હતી સંભાવના

નવી દિલ્હીઃ ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે બુધવારે ઇગ્નીશન કોઇલમાં ખામી હોવાને કારણે 'ક્લાસિક, બુલેટ અને મીટિઅર' મોડેલોની 2,36,966 મોટરસાયકલો સ્વૈચ્છિક રીતે બજારમાંથી પાછી ખેંચી લીધી હતી.

ટુ-વ્હીલર ઉત્પાદક કંપની રોયલ એનફિલ્ડે તેની 2,36,966 મોટરસાયકલો પાછી ખેંચી

કંપનીએ આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે ઈગનીશન કોઈલમાં ખામી સર્જાતા મિસ ફાયરિંગ, મોટર સાઇકલની પરિવહન ક્ષમતામાં ઘટાડો, ઉપરાંત શોર્ટ સર્કિટ જેવી પણ ઘટનાઓ સર્જાઈ શકે છે.

કંપનીને આંતરિક પરીક્ષણ વખતે ખામી દેખાઈ

વર્ષ 2020ના ડિસેમ્બર અને 2021ના એપ્રિલ વખતે આ મોટર સાઈકલ નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમને આ ખામી અંગે માહિતી મળી હતી. આ એક જવલ્લે જ બનતી ઘટના છે જેની સંપૂર્ણ જવાબદારી લેતા તમામ મોડેલ નું ફરી પરીક્ષણ હાથ ધરી તેમનું સમારકામ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને વેચવામાં આવશે. કંપની દ્વારા સલામતીના તમામ પગલાં લેવાયા બાદ તેને બજારમાં ફરી મૂકવામાં આવશે તેમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details