ન્યૂયોર્કઃહમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર ઓલઆઉટ એટેક કર્યો હતો. આ હુમલા બાદ વિશ્વભરના ઈઝરાયેલ તરફી દેશોએ હમાસને ખતમ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ હુમલાને લઈને અમેરિકાની સુરક્ષા પરિષદમાં મંત્રી સ્તરીય બેઠક યોજાઈ રહી છે. જેમાં બ્લિંકને એવા સભ્ય દેશોની નિંદા કરી કે જેઓ આતંકવાદી જૂથોને હથિયાર, ભંડોળ અને તાલીમ સહિત ટેકો પૂરો પાડે છે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, આપણે કોઈપણ રાષ્ટ્રના પોતાનો બચાવ કરવાના અધિકારનું સમર્થન કરવું જોઈએ અને આવી ભયાનકતાઓને પુનરાવર્તિત થતી અટકાવવી જોઈએ. આ કાઉન્સિલનો કોઈ સભ્ય, આ સમગ્ર સંસ્થામાં કોઈ રાષ્ટ્ર તેના પોતાના લોકોની કતલને સહન કરી શકશે નહીં અથવા સહન કરશે નહીં.
Mumbai Attack And Holocaust : બ્લિંકને 26/11 મુંબઈ હુમલાને નરસંહાર ગણાવ્યો, જાણો કઈ ઘટના સાથે તેની સરખામણી કરવામાં આવી
યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકને 2008માં મુંબઈમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી હુમલાની તુલના નાઝી નરસંહાર સાથે કરી હતી. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં હમાસનો હુમલો અને 2008માં મુંબઈમાં લશ્કર-એ-તૈયબાનો હુમલો નાઝી નરસંહાર સમાન હતો. આ હુમલાઓને ગેરકાયદેસર અને અયોગ્ય ગણાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો...
By ANI
Published : Oct 25, 2023, 10:46 AM IST
આતંકવાદી દેશોની નિંદા કરવામાં આવી : બ્લિંકને તેમના નિવેદનમાં હમાસ દ્વારા ઈઝરાયેલ વિરુદ્ધ કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા મુંબઈમાં થયેલા હુમલા વચ્ચેની સમાનતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે આ કાઉન્સિલ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વારંવાર સમર્થન કર્યું છે, આતંકવાદનું કોઈપણ કૃત્ય ગેરકાયદેસર અને ગેરવાજબી છે. પછી ભલે તેઓ નૈરોબી હોય કે બાલી, ઈસ્તાંબુલ કે મુંબઈ, ન્યુયોર્ક કે કિબુટ્ઝ બેરીમાં લોકોને નિશાન બનાવે છે. આ તમામ હુમલાઓને નરસંહાર તરીકે વર્ગીકૃત કરવા જોઈએ. આ હુમલાઓ ISIS દ્વારા કરવામાં આવ્યા હતા કે પછી તે બોકો હરામ, અલ શબાબ, લશ્કર-એ-તૈયબા અથવા હમાસ દ્વારા કરવામાં આવ્યા હતા. તેઓ ગેરકાનૂની અને અયોગ્ય છે, પછી ભલેને પીડિતોને કયા કારણોસર લક્ષિત કરવામાં આવે.
અમુક દેશો આવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે : તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપતા સભ્ય દેશોની નિંદા કરી હતી. તેમણે સુરક્ષા પરિષદની જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણે એવા દેશો સામે પણ કામ કરવું પડશે જે હમાસ અથવા આવા જઘન્ય કૃત્યોમાં સંડોવાયેલા અન્ય કોઈ આતંકવાદી જૂથને શસ્ત્રો, ધિરાણ અને તાલીમના સંદર્ભમાં મદદ કરે છે. બ્લિંકનની ટિપ્પણીઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના સંદર્ભમાં હતી. 2008માં થયેલા આ હુમલાઓમાં છ અમેરિકનો સહિત 166 લોકો માર્યા ગયા હતા.