નવી દિલ્હી : વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે અને તે હંમેશા રહેશે. બાગચીએ કહ્યું કે, ભારત ચીન દ્વારા કરવામાં આવતા કોઈપણ પ્રકારના ભેદભાવનો વિરોધ કરે છે, પછી તે વંશીય અથવા ભૌગોલિક આધાર પર હોય. ભારતે ચીન સામે આનો જોરદાર વિરોધ કર્યો છે. ભારતે કહ્યું કે, આ પ્રકારનું કૃત્ય કરીને ચીને એશિયન ગેમ્સની ભાવના પર ઊંડો હુમલો કર્યો છે, કારણ કે તેમાં લખ્યું છે કે ગેમ્સમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે નહીં.
Arunachal Athletes not allowed in China : રમતગમત મંત્રીએ રદ્દ કર્યો ચીનનો પ્રવાસ, અરુણાચલ પ્રદેશના ખેલાડીને નહોતા મળ્યા વિઝા
Published : Sep 22, 2023, 6:13 PM IST
ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ચીને અરુણાચલ પ્રદેશના ખેલાડીઓને વિઝા આપ્યા નથી. આના વિરોધમાં ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમની ચીનની મુલાકાત રદ કરી હતી.
ભારતના રક્ષામંત્રીએ ચીનનો પ્રવાસ રદ્દ કર્યો :આના વિરોધમાં ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તેમનો ચીનનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. તે એશિયન ગેમ્સના કાર્યક્રમમાં ભાગ લેવા માટે જવાના હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતને પોતાના હિતોની રક્ષા કરતા નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. પ્રવક્તાએ કહ્યું કે, આ રમતની ભાવના અને તેના આચરણનું સીધું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે ભારત સરકારને ખબર પડી છે કે ચીની સત્તાવાળાઓએ આ દ્વારા પસંદગીના ભારતીય ખેલાડીઓને નિશાન બનાવ્યા છે.
ચીનમાં 19મી એશિયન ગેમ્સ યોજાશે : ચીનના હાંગઝોઉમાં 19મી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અરુણાચલ પ્રદેશના ખેલાડીઓ તેમાં ભાગ લેવા જવા માગતા હતા, પરંતુ ચીને તેની કપટી નીતિનું પાલન કર્યું અને આ ખેલાડીઓને વિઝા આપ્યા નથી.