ગુજરાત

gujarat

ETV Bharat / international

Bomb Blast at Peshawar: પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદની અંદર જોરદાર વિસ્ફોટ, મૃત્યુઆંક વધીને 32 થયો - Pakistan Blast in peshawar

પાકિસ્તાનની ધરતી ફરી એકવાર વિસ્ફોટથી હચમચી ગઈ છે. પેશાવરની એક મસ્જિદમાં સોમવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો. blast inside the mosque in pakistan

Pakistan Blast
Pakistan Blast

By

Published : Jan 30, 2023, 3:11 PM IST

Updated : Jan 30, 2023, 9:44 PM IST

પાકિસ્તાન:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે. વિસ્ફોટમાં 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે મસ્જિદનો એક ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો છે. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો.

આ પહેલા પણ હુમલાના કિસ્સાઓ: આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.

અગાઉ પણ કરાચીમાં બ્લાસ્ટથયો હતો. 13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.

આ હુમલામાં 3 ચીની નાગરિકો માર્યા ગયા હતાઆ પહેલા 26 એપ્રિલ 2022ના રોજ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 3 ચીની અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા. આ હુમલો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના આત્મઘાતી બોમ્બર શરી બલોચે કર્યો હતો.

Bharat jodo Yatra concludes: જમ્મુ-કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનું સમાપન, ઘણા વિરોધ પક્ષોએ અંતર રાખ્યું

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં પણ ચીની નાગરિકો પર હુમલામાં વધારો થયો છે. આ પછી, પાકિસ્તાનમાં ચીનના ડેપ્યુટી એમ્બેસેડર પેંગ ચુનક્સ્યુએ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ સાથે મુલાકાત કરી હતી અને પાકિસ્તાનમાં ચીની નાગરિકોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ચીનના ડેપ્યુટી એમ્બેસેડર ચુનક્સ્યુએ કહ્યું- તેમનો દેશ ઇચ્છે છે કે કરાચી કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દોષિતોને વહેલી તકે સજા મળવી જોઈએ.

Earthquake Rocks Northwest Iran : ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં સાતના મોત, 400થી વધુ ઈજાગ્રસ્ત

Last Updated : Jan 30, 2023, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details