યરૂશલમ: ભારત અને ઇઝરાઇલ વચ્ચે સાયબર એટેકનો સામનો કરવા પરસ્પર સહયોગ વધારવાનો કરાર થયો છે. કોરોના વાઇરસ મહામારી દ્વારા સર્જાયેલા નવા સંજોગોમાં, ડિજિટાઇઝેશનની પ્રક્રિયા ઝડપી થઈ છે અને આનાથી વર્ચ્યુઅલ વિશ્વ માટે પણ નવા જોખમો ઉભા થયા છે.
ઇઝરાઇલમાં ભારતના રાજદૂત સંજીવ સિંગલા અને રાષ્ટ્રીય સાયબર નિર્દેશાલયના ડાયરેક્ટર જનરલ યિગલ ઉન્નાએ બુધવારે આ સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. ઉન્નાએ કહ્યું કે, વૈશ્વિક સાયબર પડકારોનો સામનો કરવા અને ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.