- ભારતમાં કોરોનાની સ્થિતિ બગડતા ઓસ્ટ્રેલિયાએ નિર્ણય કર્યો
- ભારતથી ઓસ્ટ્રેલિયા આવતા તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી
- 15 મે સુધી ભારતથી એક પણ ફ્લાઈટ ઓસ્ટ્રેલિયા માટે ઉડાન નહીં ભરે
કૈનબરા (ઓસ્ટ્રેલિયા): ભારતમાં કોરોનાના સ્થિતિ એ જગજાહેર છે. વિશ્વના અનેક દેશ હાલમાં ભારત આવતા ડરી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારતથી ઓસ્ટ્રેલિયા આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આ અંગે જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃરાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
કોરોનાના વધતા કેસના કારણે આ નિર્ણય લીધોઃ સ્કોટ મોરિસન